મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ


SHARE







મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ

માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીંસરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનાં નેતાઓની ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહિંસરાનાં ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, “જયાં સુધી પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે પ્રચારકોએ ચૂંટણી માટે ગામમાં પ્રવેશવું નહીં, અમારા માટે રાજકારણ કરતા વિશેષ અઢારેય વરણની બહેન દિકરીઓની આબરૂ છે અને એમના માટે અમારા બાપ દાદાએ માથાના બલિદાન આપ્યાનો ઇતિહાસ છે.ત્યારે, ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે ટિપ્પણી કરનારા પરસોતમ રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તેવી માંગ કારમાં આવી છે અને જો તેની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીસરા ગામના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News