મોરબી જિલ્લાના ગામડાઓમાંથી ૫૩.૬૪ ટકા વેરાનું વસૂલાત: રાજ્યમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે
મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ
SHARE
મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ
માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીંસરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનાં નેતાઓની ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે
જાણવા મળતી માહિતિ મુજબ મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહિંસરાનાં ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, “જયાં સુધી પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે પ્રચારકોએ ચૂંટણી માટે ગામમાં પ્રવેશવું નહીં, અમારા માટે રાજકારણ કરતા વિશેષ અઢારેય વરણની બહેન દિકરીઓની આબરૂ છે અને એમના માટે અમારા બાપ દાદાએ માથાના બલિદાન આપ્યાનો ઇતિહાસ છે.” ત્યારે, ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે ટિપ્પણી કરનારા પરસોતમ રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તેવી માંગ કારમાં આવી છે અને જો તેની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીસરા ગામના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે