મોરબીના નવાગામ લખધીરનગરમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીના નવાગામ લખધીરનગરમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું
મોરબી તાલુકાના નવાગામ લખધીરનગર ખાતે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ લખધીરનગર ખાતે રહેતા રાહુલ જયંતીભાઈ દારોદરા જાતે કોળી (૨૨) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
માર માર્યો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ઉર્મિલાબેન ઉમાશંકર રામ (૩૫) નામની મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે
બાઈક સ્લીપ
મોરબીના લાલપર ગામે રહેતા શરદભાઈ બચુભાઈ ડઢાણીયા (૪૦) નામનો યુવાન ભડીયાદ રોડથી લાલપર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર તેનું બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે









