મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં


SHARE









મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં

મોરબી તાલુકાના ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકી સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા ત્યારે ગુંગણામણ થવાના કારણે ચાર પૈકીના બે શ્રમિક યુવાનોના મોત નિપજયા છે અને બે શ્રમિક યુવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ ખારેચીયા નજીક આવેલ બાયો જેટલીટ લાઇફ સાયન્સ નામના કારખાનામાં આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ટાંકીની સફાઈ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી અને ટાંકીને સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો તેમાં ઉતર્યા હતા દરમિયાન ટાંકીની અંદર ગુંગણામણ થવા લાગવાના કારણે ચાર પૈકીના બે શ્રમિકોના મોત નિપજ્યા છે અને બે શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે તેવી માહિતી હાલમાં જાણવા મળી રહે છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ બનાવની આગળની તપાસ ફિરોજભાઈ સુમરાને સોંપવામાં આવી છે અને ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણ થવાના કારણે મંગલ મનુભાઈ સોર જાતે આદિવાસી (૨૦) અને અનંત અનુપભાઈ ઘોસાલ જાતે બ્રાહ્મણ (૨૧) રહે બંને બાયો જેટલીટ લાઈફ સાયન્સ કારખાનું ખારેચીયા તાલુકો મોરબી વાળાના મોત નિપજયા છે અને તેની સાથે ટાંકીને સફાઈ કામ માટે થઈને ટાંકીમાં ઉતરેલા અન્ય બે શ્રમિકોને સારવાર માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે






Latest News