વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં


SHARE













મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં

મોરબી તાલુકાના ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકી સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા ત્યારે ગુંગણામણ થવાના કારણે ચાર પૈકીના બે શ્રમિક યુવાનોના મોત નિપજયા છે અને બે શ્રમિક યુવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ ખારેચીયા નજીક આવેલ બાયો જેટલીટ લાઇફ સાયન્સ નામના કારખાનામાં આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ટાંકીની સફાઈ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી અને ટાંકીને સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો તેમાં ઉતર્યા હતા દરમિયાન ટાંકીની અંદર ગુંગણામણ થવા લાગવાના કારણે ચાર પૈકીના બે શ્રમિકોના મોત નિપજ્યા છે અને બે શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે તેવી માહિતી હાલમાં જાણવા મળી રહે છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ બનાવની આગળની તપાસ ફિરોજભાઈ સુમરાને સોંપવામાં આવી છે અને ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણ થવાના કારણે મંગલ મનુભાઈ સોર જાતે આદિવાસી (૨૦) અને અનંત અનુપભાઈ ઘોસાલ જાતે બ્રાહ્મણ (૨૧) રહે બંને બાયો જેટલીટ લાઈફ સાયન્સ કારખાનું ખારેચીયા તાલુકો મોરબી વાળાના મોત નિપજયા છે અને તેની સાથે ટાંકીને સફાઈ કામ માટે થઈને ટાંકીમાં ઉતરેલા અન્ય બે શ્રમિકોને સારવાર માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે






Latest News