મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના


SHARE











ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે, પાટીદાર કે પાર્ટી સામે નહિ: મોરબી જિલ્લા કરણી સેના

થોડા સમય પહેલા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા સામે છે પાટીદાર કે પાર્ટી સામે નહિ તેવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ઠેરઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ પણ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના સમર્થનમા આવેલ છે ત્યારે આ મુદાને લઈને ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામે ન આવી જાય તેમાં તે મોરબી જિલ્લા રાજપૂત કારની સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મુકેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, આ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં છે કોઈ પાર્ટી કે કોઈ સમાજ કે કોઈ અન્ય વ્યક્તિ માટેની આ લડાઈ નથી અને તેઓની એક જ માંગ છે કે, પરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકની ટિકિટ રદ કરવામાં આવે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોતમ રૂપાલાને હટાવીને કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નથી. આવી જ રીતે મોરબી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ પણ સોશ્યલ મીડિયામાં વિડીયો મૂકીને પરષોત્તમ રૂપાલા સામે જ ક્ષત્રિય સમાજને વિરોધ છે બીજા કોઇની સામે કોઈપણ પ્રકારનો વિરોધ નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે






Latest News