મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબીમાં ડોક્ટરે શાળામાં બાળકોને શિક્ષણ કીટ આપીને જન્મદિવસ ઉજવ્યો
SHARE
મોરબીમાં ડોક્ટરે શાળામાં બાળકોને શિક્ષણ કીટ આપીને જન્મદિવસ ઉજવ્યો
મોરબી હેડગેવાર સ્મારક સમિતિ શાખા દ્વારા સંચાલિત ડો. આંબેડકર શિક્ષણ-સંસ્કાર કેન્દ્રનાં બાળકો સાથે સેવા દાતા ડૉ. અર્જુનભાઈ સુવાગીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને શિક્ષણ કેન્દ્રની દિકરી ધારાબેન દ્વારા ડો. અર્જુનભાઈ સુવાગીયાનું કુમકુમ તિલક કરી સ્વાગત બાદ ભારત માતા પુજન, સંસ્કૃત જન્મદિવસ ગીત અને ૩૮ દિપક પ્રાગટ્ય દર્શન બાદ શિક્ષણ કેન્દ્રનાં ૨૩ બાળકોનેં સંપૂર્ણ શિક્ષણ કીટ (સ્કુલ બેગ, પેડ, નોટબુકો, પેન, પેન્સિલ, ચેક રબ્બર) સાથે ચોકલેટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, અતિથિ ડો.શૈલજાબેન કુનપરા, શિક્ષણ કેન્દ્ર સંચાલક કાજલબેન શુક્લ, શિવણ કેન્દ્ર સંચાલક આરતીબેન શુક્લ, શિવણ કેન્દ્રનાં બહેનો અને ૨૫થી વધારે બાળકો ઉપસ્થિત રહ્યાં હતા આ સેવા સાથે સામાજિક સમરસતાની ઉત્તમ ભાવના સાથે સેવા વસ્તીમાં શિક્ષણ કેન્દ્રનાં બાળકો સાથે ભારતીય સંસ્કૃતિ અનુસાર પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો









