મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત


SHARE











મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી યુવાને મોરબી નજીક આવેલ સિરામિક કારખાનામાં હતો ત્યારે પથરીની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી સન્નીભાઈ અરવિંદભાઈ પાટડીયા જાતે પ્રજાપતિ (૨૧) નામના યુવાને મોરબી નજીક આવેલ સેગા ટાઇલ્સ નામના કારખાનામાં હતો ત્યારે તા ૧૩/૩/૨૪ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું તા ૬//૪/૨૪ ના રોજ રાતે મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં મૃતક યુવાનના પિતા અરવિંદભાઈ પાટડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સન્નીને છેલ્લા થોડા સમયથી પથરીની બીમારી હતી તેનાથી કંટાળીને તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને તેઓને સંતાનમાં એક દીકરી અને બે દીકરા હતા જેમાંથી એક દીકરાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને એક દીકરો મંદબુદ્ધિનો છે હાલ આપઘાતના આ બનાવ અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના દહીસરા ગામે રહેતા ઉર્મિલાબેન બાંભણીયા (૩૦) અને કમીબેન નરગામા (૨૬) નામના બે મહિલાઓને ચાચાવદરડા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો છે જેથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે






Latest News