જુનાગઢથી કબરાઉ મંદિરે દર્શને જતાં પરિવારની કારનો મોરબી નજીક બૂકડો બોલી ગયો: ઇજા પામેલ પાંચ વ્યક્તિ સારવારમાં
SHARE
જુનાગઢથી કબરાઉ મંદિરે દર્શને જતાં પરિવારની કારનો મોરબી નજીક બૂકડો બોલી ગયો: ઇજા પામેલ પાંચ વ્યક્તિ સારવારમાં
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે સિમેન્ટના કારખાનાની સામે હાઇવે રોડ ઉપરથી સ્વિફ્ટ કાર લઈને વૃદ્ધ પોતાના પત્ની અને દીકરા સહિત કુલ પાંચ વ્યક્તિઓ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે તેની કારમાં પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કાર આગળના ભાગમાં ઉભેલા ટ્રકની સાથે અથડાતા બે ટ્રક વચ્ચે કારનો બૂકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ફરિયાદી વૃદ્ધ સહિતના પાંચેયને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે જુનાગઢમાં આવેલ મધુરમ સોસાયટી મામાદેવ મંદિર સામે સોમનાથ ટાઉનશિપ એ/43 ખોડલકૃપા ખાતે રહેતા નારણભાઈ રાજાભાઈ ભેડા જાતે આહિર (૫૮) નામના વૃદ્ધે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૦ ટીવાય ૩૦૮૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૧૦ એ ૪૪૪૯ લઈને તેમાં પોતાના પત્ની સોનલબેન, પુત્ર સમરથભાઈ અને તેના સંબંધી મીરાબેન લાખાભાઈ તથા વિરમભાઈ નંદાણીયા કચ્છ જીલ્લામાં આવેલ કબરાઉ ધામ ખાતે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબી નજીક માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે સાગર સિમેન્ટ કારખાના સામેથી તેઓની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલા આરોપી ટ્રક ચાલકે તેનો ટ્રક તેઓની ગાડીમાં અથડાવ્યો હતો જેથી ગાડી આગળના ભાગમાં ઉભેલા ટ્રકમાં પાછળ અથડાઈ હતી અને ત્રણ વાહનોનો અકસ્માત થયો હતો જેમાં ગાડીનો બૂકડો બોલી ગયો હતો અને ગાડીમાં બેઠેલા ફરિયાદી તેમજ તેના પત્ની દીકરા સહિતના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે