મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે ઝંપલાવનાર પરિણીતા સારવારમાં


SHARE











મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે ઝંપલાવનાર પરિણીતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મયુર પુલ ઉપરથી નીચે નદીના પટમાં પાણીમાં કૂદકો માર્યો હતો જેથી તેને મહિલાને તાત્કાલિક સારવાર માટે તેના પતિ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં રહેતા જીતેન્દ્રભાઈ રૂગનાથભાઈ ઉભડિયાના પત્ની લક્ષ્મીબેન જીતેન્દ્રભાઈ ઉભડિયા (૨૭)એ ગત તા. ૫/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે નદીના પટમાં પાણીમાં કુદકો માર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પતિ જીતેન્દ્રભાઈ ઉભડિયા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ એલ. આર. ચૌહાણ ચલાવી રહ્યા છે વધુમાં મળતી વિગત પ્રમાણે એક માસ પહેલા મહિલાના માતાનું અવસાન થયું હતું જેના પગલે આ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અનિલભાઈ બચુભાઈ સોલંકી (૩૨) નામના યુવાનને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે બાપા સીતારામ હોટલ પાછળના ભાગમાંથી પસાર થયેલા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ (૩૦) રહે. રેસા સીરામીક વાળાનું બાઈક થ્રી વ્હીલ વાહન સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News