માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે આધેડની હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે ફટકારી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા, એક લાખનો દંડ


SHARE













હળવદના સુરવદર ગામે આધેડની હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે ફટકારી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા, એક લાખનો દંડ

હળવદ તાલુકાના સુરવદર ગામે વર્ષ ૨૦૧૮ માં દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા માટે ગયા હતા ત્યાર બાદ મારામારી કરીને યુવાનને છરીના ઘા ઝીંકી દિધા હતા જેથી ઈજા આધેડને સારવારમાં લઇને આવેલ હતા અને સારવારમાં તેનું મોત નિપજ્યુ હતું જે હત્યાનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની સરકારી વકિલ પાસેથી મળેલ વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામના નિતેષભાઈ સુરાણીએ હત્યાની ફરીયાદ નોંધાવેલ હતી જેમા જણાવ્યુ હતુ કે ગત તા.૨૦-૧૧-૨૦૧૮ ના રોજ ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે થોડે દુર દેકારો થતા ગામના ઝાંપા તરફ જતા ગામના ભરત ગાંડુભાઈ દેસાઈની દુકાન સામે કુટુંબી ભાઈ અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણી બાઈક લઈને ઉભા હતા અને ગામના મનસુખ તખુભાઈ દેસાઈ અને જતિન મનસુખ દેસાઈ લાકડાના ધોકા લઈને ગાળો બોલતા હતા અને છોકરીની છેડતી બાબતે શા માટે બોલાચાલી કરી હતી.? તેવુ કહીને જતિને લાકડાના ધોકા વડે અશોકભાઈને છાતીના ભાગે ઘા માર્યો હતો તેમજ મનસુખભાઈએ છરી કાઢી પીઠના પાછળના ભાગે ઘા કરીને અશોકભાઇને ઈજા કરી હતી.જે ઈજાગ્રસ્ત અશોકભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતું.જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને હત્યાનો આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ સાહેબ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેએ કોર્ટમાં ૧૦ મૌખિક અને ૨૯ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી મનસુખ તખુભાઈ દેસાઈને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને એક લાખનો દંડ કર્યો છે જયારે આરોપી જતીન મનસુખ દેસાઈને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.






Latest News