મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના બાપા સીતારામ ચોકમાં કાલે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન


SHARE











મોરબીના બાપા સીતારામ ચોકમાં કાલે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે અગાઉ રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબીની તાલુકા કોર્ટમાં બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ પણ આપવામાં આવી છે તો પણ કાજલ હિંદુસ્તાનીએ હજુ સુધી મોરબીના પાટીદાર સમાજની માફી મંગેલ નથી ત્યારે મોરબી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની આગેવાની હેઠળ પટેલ કન્યા છાત્રાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તા ૯/૪ ને મંગલવારે મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે જેમાં ૨૫ હજાર થી વધુ પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

સુરતમાં થોડા સમય પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી છે અને થોડા દિવસો પહેલા મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનીને માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે, તેના દ્વારા માફી માંગવામાં આવી નથી જેથી કરીને ત્યાર બાદ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે કાયદેસરની કાર્યવાહી માટે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે

તો પણ કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની માફી માંગી નથી ત્યાર બાદ મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર  સમાજના વિવિધ સંગઠનોના આગેવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે તા ૯/૪ ને મંગલવારના રોજ મોરબીમાં રવપર રોડ ઉપર આવેલ બાપસીતા રામ ચોકમાં રાતે ૮:૦૦ વાગ્યે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અનુસંધાને પટેલ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજના આગેવાનીની હાજરીમાં સોમવારે સાંજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, કાજલ હિન્દુસ્તાની દ્વારા હજુ સુધી સમાજની માફી માંગવામાં આવેલ નથી જેથી મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે અને તેમાં મોરબી તેમજ જીલ્લામાં રહેતા ૨૫ હજારથી વધુ પાટીદાર લોકો ઉમટી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો હજુ પણ કાજલ હિન્દુસ્તાની સમાજની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં મોરબી બંધનું એલાન આપવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં તેની વિરુદ્ધમાં સંમેલનો બોલાવવામાં આવશે તેવી ચીમકી પાટીદાર સમાજના આગેવાનોએ ઉચ્ચારી છે






Latest News