મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બાપા સીતારામ ચોકમાં કાલે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન


SHARE







મોરબીના બાપા સીતારામ ચોકમાં કાલે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે અગાઉ રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબીની તાલુકા કોર્ટમાં બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ પણ આપવામાં આવી છે તો પણ કાજલ હિંદુસ્તાનીએ હજુ સુધી મોરબીના પાટીદાર સમાજની માફી મંગેલ નથી ત્યારે મોરબી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની આગેવાની હેઠળ પટેલ કન્યા છાત્રાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તા ૯/૪ ને મંગલવારે મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે જેમાં ૨૫ હજાર થી વધુ પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

સુરતમાં થોડા સમય પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી છે અને થોડા દિવસો પહેલા મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનીને માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે, તેના દ્વારા માફી માંગવામાં આવી નથી જેથી કરીને ત્યાર બાદ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે કાયદેસરની કાર્યવાહી માટે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપેલ છે

તો પણ કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની માફી માંગી નથી ત્યાર બાદ મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર  સમાજના વિવિધ સંગઠનોના આગેવાનોની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે તા ૯/૪ ને મંગલવારના રોજ મોરબીમાં રવપર રોડ ઉપર આવેલ બાપસીતા રામ ચોકમાં રાતે ૮:૦૦ વાગ્યે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર મહાસંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અનુસંધાને પટેલ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજના આગેવાનીની હાજરીમાં સોમવારે સાંજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, કાજલ હિન્દુસ્તાની દ્વારા હજુ સુધી સમાજની માફી માંગવામાં આવેલ નથી જેથી મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે અને તેમાં મોરબી તેમજ જીલ્લામાં રહેતા ૨૫ હજારથી વધુ પાટીદાર લોકો ઉમટી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો હજુ પણ કાજલ હિન્દુસ્તાની સમાજની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં મોરબી બંધનું એલાન આપવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં તેની વિરુદ્ધમાં સંમેલનો બોલાવવામાં આવશે તેવી ચીમકી પાટીદાર સમાજના આગેવાનોએ ઉચ્ચારી છે






Latest News