મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી કાફર પાકિસ્તાનીને પાટીદાર સમાજના કોઇ સ્ટેજ ઉપર સ્થાન નહી અપાઇ: ટી.ડી. પટેલ


SHARE













મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી કાફર પાકિસ્તાનીને પાટીદાર સમાજના કોઇ સ્ટેજ ઉપર સ્થાન નહી અપાઇ: ટી.ડી.પટેલ

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે મોરબીમાં જાહેર સભા યોજાઇ હતી જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને સિરામિક એસો.ના પ્રમુખો સહિતના હાજર રહ્યા હતા અને આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી તેને પાટીદારોના એક પણ કાર્યક્રમમાં કોઈપણ જગ્યાએ સ્ટેજ ઉપર પગ રાખવા નહીં દેવામાં આવે તેવું એલાન મોરબીના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને કાજલ હિન્દુસ્તાનીને હવેથી કાફર પાકિસ્તાનીના નામથી બોલાવવા પાટીદારોએ આહવાન કર્યું છે. આમ પટેલ સમાજની દિકરીઓ અને મહિલાઓ ઉપર કરાયેલ કાજલબેન હિન્દુસ્તાનીની ટીપ્પણીઓ બાદ રોષે ભરાયેલ પાટીદાર સમાજે રેલી યોજીને આવેદનપત્ર આપેલ બાદમાં કોર્ટમાં બદનક્ષીના બદલ ફરીયાદ કરવામાં આવી હતી.

થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને ઉદ્યોગપતિઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે અગાઉ રેલી યોજના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ મોરબીની કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની માફી માંગવામાં આવી નથી ત્યારે મોરબીમાં મંગળવારે રાત્રે ૯ વાગ્યે બાપાસીતારામ ચોક ખાતે પાટીદાર સમાજની જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખો તેમજ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને ખાસ કરીને જે ઘટના મોરબીમાં બની જ નથી તે ઘટનાનો મનઘડત ઉલ્લેખ કાજલ હિન્દુસ્તાની દ્વારા જે રીતે સ્ટેજ ઉપરથી કરવામાં આવ્યું છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને આ તકે પાટીદાર સમાજના અગ્રણી ટી. ડી. પટેલ દ્વારા મોરબીની જાહેર સભામાં એવું એલાન કરવામાં આવ્યું હતું કે આજ સુધી જેને લોકો કાજલ હિન્દુસ્તાની ના નામથી જાણતા હતા તેને હવે મોરબીનો પાટીદાર સમાજના કાફર પાકિસ્તાનીના નામથી બોલાવશે તેમજ આગામી સમયમાં જ્યાં સુધી તે મોરબીના પાટીદાર સમાજની માફી ન માંગે ત્યાં સુધી તેને ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર સ્થાન આપવામાં નહીં આવે તેવું એલાન કરેલ છે અને આગામી સમયમાં હજુ પણ કાજલ હિન્દુસ્તાની સામે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદો કરવામાં આવશે તેવું પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે






Latest News