બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતાને માવતર ન જવા દઈને મારવા મજબૂર કરનારા પતિ સામે નોંધાયો ગુનો


SHARE











મોરબીમાં પરણીતાને માવતર ન જવા દઈને મારવા મજબૂર કરનારા પતિ સામે નોંધાયો ગુનો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતી પરણીતાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઈની સામે દીકરીને માવતર ન આવવા દઈને તેમજ માવતરેથી અને સગાવ્હાલાઓ પાસેથી રૂપિયા લાવવાનું કહીને ત્રાસ આપતા હતા હોવાથી તેની દીકરીએ આપઘાત કર્યો હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ નજીક રહેતા સુનીતાબેન અલ્પેશભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૨૨) નામની પરિણીતાએ ગત તા. ૮-૪ ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી સુનીતાબેન કુંઢીયાનું મોત નીપજ્યું હતું અને તેઓના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જે તે સમયે જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં મૃતક સુનિતાબેનના માતા વજીબેન ભીખાભાઇ આધરોજીયા જાતે દેવીપુજક (૭૦) રહે. પ્રજાપત નળીયાના કારખાના પાછળ સ્મશાનની બાજુમા મહેન્દ્રનગર વાળાએ હાલમાં તેના જમાઈ અલ્પેશ લાલાભાઇ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીને વગર કારણે પોતાના માવતરે તેમજ સગાવ્હાલામા જવા નહી દઇ સગાવ્હાલા પાસે રૂપીયાની મદદ લેવાનુ કહેતા હતા ત્યારે સુનીતાબેને રૂપીયાની મદદ લેવાની ના પાડી હતી જે આરોપીને સારૂ નહી લાગતા તેને ફરિયાદીની દીકરીને ખોટી રીતે હેરાન પરેશાન કરી હતી અને શારીરીક માનસીક ત્રાસ આપ્યો હતો જેથી તેની દીકરીએ આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે મૃતક મહિલાના પતિની સમે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક મહિલાનો લગ્નગાળો બે વર્ષનો હતો અને તેમને એક સંતાન હતું અને મહિલાએ આ પગલું ભરી લેતા સંતાને માતાની છત્રછાયા ગુમાવેલ છે






Latest News