બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE











ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ જિનિંગ મિલની ઓરડીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં બાજુમાં રહેતા યુવાન સાથે મનમેળ થઈ ગયો હતો અને યુવાન તેના વતનમાં જતો હોય તે સગીરાને પણ તેની સાથે જવું હતું જોકે સગીરાની માતાએ તેને સાથે જવાની ના પડી હતી જેથી યુવાને તેના વતનમાં જતો રહ્યો હતો અને સગીરાને મનોમન લાગી આવતા તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતક સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ ઓસન કોટન જીનિંગ મિલની ઓરડીમાં રહેતી અને મજૂરી કામ કરતી દેવિકાબેન સરદારભાઈ મેડા (૩૫) નામની મહિલાએ તેની દીકરી સુનીતાબેન સરદારભાઈ મેડા (૧૭)એ જિનિંગ મિલના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવા અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક સુનિતાબેનને તેઓની ઓરડીની બાજુમાં રહેતા અને ત્યાં ફીટરનું કામ કરતા રવિકુમાર નામના વ્યક્તિ સાથે મનમેળ હતો અને રવિકુમાર પોતાના વતનમાં જતો હોય મરણ જનાર સગીરાને તેની સાથે જવું હતું ત્યારે તેની માતા દેવિકાબેને તેને જવાની ના પાડી હતી અને તારી ઉંમર નાની છે રવિકુમાર સાથે તારે ન જવાય તેવું કહ્યું હતું જેથી રવિકુમાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ સગીરાને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News