રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE









વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા યુવાનને દુકાને હતો ત્યારે હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તે યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર હાર્ટ એટેકના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને યુવાનોને હાર્ટ અટેક વધુ આવતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે તેવામાં વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા અને મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા શંકરભાઈ લક્ષ્મણભાઈ કુંમખાણીયા (૪૦) નામનો યુવાન પોતાની વેલ્ડીંગની દુકાને હતો અને કામ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News