વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવાનને માર માર્યો


SHARE













મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવાનને માર માર્યો

મોરબી શહેરના સમાચાર વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી મોટર સાયકલ લઇને પસાર થતા યુવાનની બાજુમાંથી પોતાનું બાઇક લઈને નીકળેલા શખ્સે બાઇક ઓવરટેક કરવા બાબતે ગાળો બોલી હતી જેથી કરીને ગાળો બોલવાની ના પાડતાં યુવાનને મારમાર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી શહેરના સમાચાર વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળ ભક્તિ નગર સોસાયટીમાં રહેતા યુવાન જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા (ઉમર 25) એ પ્રેમજીભાઈ ગોરાભાઈ પરમાર રહે ભક્તિનગર સોસાયટી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાનું બાઇક લઇને પસાર થતો હતો ત્યારે તેની બાજુમાંથી પ્રવીણભાઈ બાઈક લઈને નીકળ્યા હતા અને તેણે બાઇક ઓવરટેક કરવા બાબતે તેને ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા તેને ઢીકાપાટુનો અને પથ્થર વડે માર માર્યો હતો જેથી કરીને તેણે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.








Latest News