મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતમાં ઇજા થતાં યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીમાં વાહન અકસ્માતમાં ઇજા થતાં યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે વિશાલ ફર્નિચર પાસે પગપાળા જઈ રહેલા મૂળ બિહારના મીશ્રાભાઇ પાંડે નામના ૨૮ વર્ષના યુવાનને કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા મિશ્રાભાઈને અત્રેની સિવિલે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બ્લુઝોન સિરામીકની પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થવાથી મહેશભાઈ દેવજીભાઈ પરમાર નામના ૩૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુસુફભાઈ ઉમરભાઈ કાસમાણી નામનો ૪૫ વર્ષીય યુવાન અહિંના જૂના બસ સ્ટેશન પાસે પ્રફુલ ભજીયાવાળી શેરી નજીકથી પસાર થતો હતો ત્યારે સ્કુટર-બાઇકની વચ્ચે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા નજીકના કલ્યાણ સીરામીક પાસે રહેતો સુરેશભાઇ ધીરૂભાઈ મગવાણીયા નામનો યુવાન પત્ની સાથે બાઈકમાં જતો હતો ત્યારે પાડધરા નજીક બાઇક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાઓ થવાથી સુરેશભાઈને આયુષ હોસ્પીટલે સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના સાપકડા ગામનો રહેવાસી અશોકભાઈ મોહનભાઈ રાંતોજા નામનો યુવાન ઘરેથી બાઇક લઇને જતો હતો ત્યારે સામખિયાળી નજીક આવેલા અજન્તા કારખાના પાસે તેના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં અશોક રાંતોજાને અહીંની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જયારે હળવદના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતો હિતેષ ભવાનભાઈ કણજારીયા નામનો ૨૧ વર્ષનો યુવાન ધાંગધ્રા ગયો હતો ત્યાં ધાંગધ્રાના બસ સ્ટેશન પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં હિતેષ કણજારીયાને પણ સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.








Latest News