મોરબી: મંગેતર સાથે ફોન ઉપર બોલાચાલી-ઝઘડો થતા યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબીના અદેપર ગામે નદીમાં કપડાં ધોવા ગયેલ યુવતીનું ડૂબી જવાથી મોત
SHARE
મોરબીના અદેપર ગામે નદીમાં કપડાં ધોવા ગયેલ યુવતીનું ડૂબી જવાથી મોત
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા અદેપર ગામે રહેતા આદિવાસી પરિવારની યુવતી પંચાસીયા ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી.તે દરમિયાનમાં તે પાણીમાં ડૂબી જતા તેણીનું મોત નિપજયુ હતુ અને તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા એડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
આ અંગે વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા અદેપર ગામે વાડીના પુલ નજીક પંચાસીયા ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે કપડાં ધોવા માટે ગયેલ ટીનાબેન રામુભાઈ બિલવાલ (ઉંમર ૧૭) નામની યુવતી નદીમાં કપડાં ધોવા માટે ગયેલ હતી ત્યારે અકસ્માતે તે પાણીમાં ડૂબી ગઈ હતી.જેથી તેણીનું મોત થતાં ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.હોસ્પિટલ તરફથી જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો બનતો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામેથી મોરબીના નીચી માંડલ ગામ બાજુ બાઈકમાં બેસીને જઈ રહેલા નિર્મળાબેન ભાણજીભાઈ પટેલ (ઉમર ૬૧) રહે. વસ્ત્રાલ અમદાવાદ વાળાઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.આ બાબતે તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૨૩-૪ ના રોજ રાત્રિના નવેક વાગ્યે તેઓ બાઈકમાં બેસીને રાતાભેરથી નિચી માંડલ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલા નિર્મલાબેન પટેલને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
બાળક સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસ નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારના કાર્તિક પંકજભાઈ ભાંભોર જાતે આદિવાસી નામના આઠ મહિનાના બાળકે તા.૨૩ ના રાત્રિના આઠેક વાગ્યે તેમના ઘરે રમતા રમતા ડીઝલ પી લીધું હતું.જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા લાખાભાઈ મુળાભાઈ ભરવાડ નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર ઢુવા અને બંધુનગર વચ્ચેથી લાખાભાઈ રોડ ક્રોસ કરતા હતા.ત્યારે કોઈ અજાણી રીક્ષાની હડફેટે ચડી જતા ઈજા પામતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.









