મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી તેમજ સમય ગેટ બાજુમાંઆજે નાટક યોજાશે


SHARE







મોરબીના નાની વાવડી તેમજ સમય ગેટ બાજુમાંઆજે નાટક યોજાશે

આજે રાત્રે માધવ ગૌશાળાના લાભાર્થે નાની વાવડી ગામે નાટક યોજાશે. મોરબી નજીકના નાની વાવડી ગામે માધવ અંધ-અપંગ ગૌશાળા આવેલી છે.તેના લાભાર્થે સામાજિક તેમજ કોમેડી નાટકનું આયોજન કરવામાં આવેલા છે.જેમાં સોનલબેનની ચૂંદડી (લોહી ભીની ચૂંદડી) નામનું કરૂણતાસભર નાટક તેમજ સાથે માલી મતવાલી નામનું હાસ્યથી ભરપુર નાટક યોજાશે.આજે તા.૨૦ ને બુધવાર શરદપૂનમના દિવસે રાત્રિના સાડા નવ વાગ્યે નાની વાવડી ગામે આવેલ રામજીમંદિર ચોક ખાતે યોજાવાના હોય સૌ ગૌપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તેમજ મોરબીમાં આજે બુધવારે “મહિષાસુર મર્દિની” ધાર્મિક નાટક ભજવાશે શ્રી નવદુર્ગા શક્તિ મંડળ જેતપર(મચ્છુ) દ્વારા શરદપુનમની રાત્રે તા.૨૦ ને બુધવારના રોજ રાત્રીના ૯ : ૩૦ વાગ્યે નીતિનપાર્ક સોસાયટી, સમય ગેટ બાજુમાં મોરબી ખાતે ધાર્મિક નાટક મહિષાસુર મર્દિની ભજવાશે જે નાટકમાં પધારવા ધર્મપ્રેમી જનતાએ નીતિનપાર્ક ગરબી મંડળ-મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

શ્રી મોરબી ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવનું  આયોજન

મોરબીના શકિતપ્લોટ મેઈન રોડ ઉપર આવેલ કોમ્યુનિટી હોલ ખાતે  મોરબી ભાવસાર જ્ઞાતી દ્વારા આજ તા.૨૦ ને બુધવારે સાંજે ૭ વાગ્યે શરદપુનમ નિમિતે રાસ-ગરબાનું આયોજન  કરવામાં આવેલ હોય ભાવસાર  જ્ઞાતિબંધુ-ભગીનીઓને ગરબે ઘુમવા  આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.મોરબી ભાવસાર જ્ઞાતીના પ્રમુખ તથા ટ્રસ્ટી તથા કારોબારી સભ્યોએ જણાવેલ કે શરદોત્સવનું આયોજન કારોબારી કમીટી દ્વારા બુધવારે  તા.૨૦-૧૦ ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે તો બધા ભાવસાર જ્ઞાતિબંધુને  ભાવભર્યુ આમંત્રણ છે.તથા કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ભાવસાર જ્ઞાતી કારોબારી કમીટી તથા  ભાવસાર જ્ઞાતી  સલાહકાર સમિતીના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News