વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE













મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી ખાતે ગત પશુરામ જયંતિના દિવસે પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ત્રણ મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ બાકીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ પ્રશાંતભાઈ મહેતાના જણાવ્યા પ્રમાણે મહામંત્રી તરીકે રૂષિભાઈ ડી.મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ વી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે ધરમભાઈ કે.રાવલ, ભાવીનભાઇ ડી.વ્યાસ, આર્યનભાઇ સી.ત્રીવેદી, વિજયભાઈ રાવલ, શિવભાઈ જાની, જીગરભાઈ દવે, યાજ્ઞિકભાઈ ડી.ગામોટ અને વિશાલભાઈ મહેતાની તેમજ સંયોજક તરીકે નયનભાઈ કે.પંડ્યાની, લીગલ સેલમાં એડવોકેટ મહીધરભાઈ દવેની, સહમંત્રી પદે રાકેશભાઈ પંડ્યા, કિશનભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, ઉદયભાઈ જોષી, પરિમલભાઈ દવે, હર્ષભાઈ જાની, દેવભાઈ જોષી અને સાગરભાઇ પંડ્યાની જયારે સોશિયલ મીડિયા સેલમાં ભાર્ગવભાઇ શુકલ, આયુષભાઈ જાની, મૈત્રીકભાઈ જોષી અને ધેર્યભાઈ દવેની વરણી કરવામાં આવેલ હોય બ્રહ્મ સમાજની જુદી જુદી શાખાઓ દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

મોરબીના શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત બ્રહ્મ સમાજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ફક્ત ૧૬ જેટલી ટીમો રાખવામાં આવેલી છે.મોરબી નજીકના નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજવાની છે.તેમાં ભાગ લેવા ફોર્મ ભરવા માટે ૫-જૂન છેલ્લી તારીખ છે.ટુર્નામેન્ટ ૭-જૂનથી ૯-જૂન રમાવાની છે.જેને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ મહેતા તેમજ મહામંત્રી ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટ તથા તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૭૨૭૭ ૧૬૧૭૬ અથવા મો.૭૫૭૫૮ ૮૦૫૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News