ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE















મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી ખાતે ગત પશુરામ જયંતિના દિવસે પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ત્રણ મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ બાકીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ પ્રશાંતભાઈ મહેતાના જણાવ્યા પ્રમાણે મહામંત્રી તરીકે રૂષિભાઈ ડી.મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ વી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે ધરમભાઈ કે.રાવલ, ભાવીનભાઇ ડી.વ્યાસ, આર્યનભાઇ સી.ત્રીવેદી, વિજયભાઈ રાવલ, શિવભાઈ જાની, જીગરભાઈ દવે, યાજ્ઞિકભાઈ ડી.ગામોટ અને વિશાલભાઈ મહેતાની તેમજ સંયોજક તરીકે નયનભાઈ કે.પંડ્યાની, લીગલ સેલમાં એડવોકેટ મહીધરભાઈ દવેની, સહમંત્રી પદે રાકેશભાઈ પંડ્યા, કિશનભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, ઉદયભાઈ જોષી, પરિમલભાઈ દવે, હર્ષભાઈ જાની, દેવભાઈ જોષી અને સાગરભાઇ પંડ્યાની જયારે સોશિયલ મીડિયા સેલમાં ભાર્ગવભાઇ શુકલ, આયુષભાઈ જાની, મૈત્રીકભાઈ જોષી અને ધેર્યભાઈ દવેની વરણી કરવામાં આવેલ હોય બ્રહ્મ સમાજની જુદી જુદી શાખાઓ દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

મોરબીના શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત બ્રહ્મ સમાજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ફક્ત ૧૬ જેટલી ટીમો રાખવામાં આવેલી છે.મોરબી નજીકના નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજવાની છે.તેમાં ભાગ લેવા ફોર્મ ભરવા માટે ૫-જૂન છેલ્લી તારીખ છે.ટુર્નામેન્ટ ૭-જૂનથી ૯-જૂન રમાવાની છે.જેને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ મહેતા તેમજ મહામંત્રી ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટ તથા તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૭૨૭૭ ૧૬૧૭૬ અથવા મો.૭૫૭૫૮ ૮૦૫૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News