મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE









મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી ખાતે ગત પશુરામ જયંતિના દિવસે પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ત્રણ મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ બાકીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ પ્રશાંતભાઈ મહેતાના જણાવ્યા પ્રમાણે મહામંત્રી તરીકે રૂષિભાઈ ડી.મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ વી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે ધરમભાઈ કે.રાવલ, ભાવીનભાઇ ડી.વ્યાસ, આર્યનભાઇ સી.ત્રીવેદી, વિજયભાઈ રાવલ, શિવભાઈ જાની, જીગરભાઈ દવે, યાજ્ઞિકભાઈ ડી.ગામોટ અને વિશાલભાઈ મહેતાની તેમજ સંયોજક તરીકે નયનભાઈ કે.પંડ્યાની, લીગલ સેલમાં એડવોકેટ મહીધરભાઈ દવેની, સહમંત્રી પદે રાકેશભાઈ પંડ્યા, કિશનભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, ઉદયભાઈ જોષી, પરિમલભાઈ દવે, હર્ષભાઈ જાની, દેવભાઈ જોષી અને સાગરભાઇ પંડ્યાની જયારે સોશિયલ મીડિયા સેલમાં ભાર્ગવભાઇ શુકલ, આયુષભાઈ જાની, મૈત્રીકભાઈ જોષી અને ધેર્યભાઈ દવેની વરણી કરવામાં આવેલ હોય બ્રહ્મ સમાજની જુદી જુદી શાખાઓ દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

મોરબીના શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત બ્રહ્મ સમાજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ફક્ત ૧૬ જેટલી ટીમો રાખવામાં આવેલી છે.મોરબી નજીકના નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજવાની છે.તેમાં ભાગ લેવા ફોર્મ ભરવા માટે ૫-જૂન છેલ્લી તારીખ છે.ટુર્નામેન્ટ ૭-જૂનથી ૯-જૂન રમાવાની છે.જેને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ મહેતા તેમજ મહામંત્રી ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટ તથા તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૭૨૭૭ ૧૬૧૭૬ અથવા મો.૭૫૭૫૮ ૮૦૫૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News