મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ વિકસિત ભારતના બણગાં: મોરબી નજીકના ઘુટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં 15 વર્ષથી રહેતા લોકોની નથી મળતી પ્રાથમિક સુવિધા ! મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE













મોરબી : પરશુરામ યુવા ગ્રુપના હોદેદારોની વરણી, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી ખાતે ગત પશુરામ જયંતિના દિવસે પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ત્રણ મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ બાકીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ પ્રશાંતભાઈ મહેતાના જણાવ્યા પ્રમાણે મહામંત્રી તરીકે રૂષિભાઈ ડી.મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ વી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે ધરમભાઈ કે.રાવલ, ભાવીનભાઇ ડી.વ્યાસ, આર્યનભાઇ સી.ત્રીવેદી, વિજયભાઈ રાવલ, શિવભાઈ જાની, જીગરભાઈ દવે, યાજ્ઞિકભાઈ ડી.ગામોટ અને વિશાલભાઈ મહેતાની તેમજ સંયોજક તરીકે નયનભાઈ કે.પંડ્યાની, લીગલ સેલમાં એડવોકેટ મહીધરભાઈ દવેની, સહમંત્રી પદે રાકેશભાઈ પંડ્યા, કિશનભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, ઉદયભાઈ જોષી, પરિમલભાઈ દવે, હર્ષભાઈ જાની, દેવભાઈ જોષી અને સાગરભાઇ પંડ્યાની જયારે સોશિયલ મીડિયા સેલમાં ભાર્ગવભાઇ શુકલ, આયુષભાઈ જાની, મૈત્રીકભાઈ જોષી અને ધેર્યભાઈ દવેની વરણી કરવામાં આવેલ હોય બ્રહ્મ સમાજની જુદી જુદી શાખાઓ દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

મોરબીના શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત બ્રહ્મ સમાજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ફક્ત ૧૬ જેટલી ટીમો રાખવામાં આવેલી છે.મોરબી નજીકના નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ યોજવાની છે.તેમાં ભાગ લેવા ફોર્મ ભરવા માટે ૫-જૂન છેલ્લી તારીખ છે.ટુર્નામેન્ટ ૭-જૂનથી ૯-જૂન રમાવાની છે.જેને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઇ મહેતા તેમજ મહામંત્રી ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટ તથા તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૭૨૭૭ ૧૬૧૭૬ અથવા મો.૭૫૭૫૮ ૮૦૫૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News