મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર રોડે ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૯૨,૨૦૦ ના મુદામાલની ચોરી


SHARE







હળવદના રાણેકપર રોડે ઘરમાંથી રોકડ-દાગીના મળીને ૯૨,૨૦૦ ના મુદામાલની ચોરી

હળવદ શહેરમાં રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલ બંગ્લોઝ ના મકાન નંબર ૨૫ માં રહેતા વૃદ્ધના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર પ્રવેશ કરીને તિજોરીના લોક તોડીને રોકડા ૬૦,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ ૯૨,૨૦૦ ની કિંમત ના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલા બંગ્લોઝ મકાન નંબર ૨૫ માં રહેતા નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા જાતે દરબાર (૬૦) એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના રહેણાંક મકાનનો દરવાજો તથા ઇન્ટરલોક તોડીને અજાણ્યા શખ્સ તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં આવેલ તિજોરીના ખાનાના લોક તોડીને રોકડા ૬૦,૦૦૦ તથા ૩૨,૨૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના આમ કુલ મળીને ૩૨,૨૦૦ ની કિંમતના મુદ્દા માલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News