મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં દેવું વધી જતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ યુવાનની ભાળ મળી


SHARE







મોરબીમાં દેવું વધી જતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ યુવાનની ભાળ મળી

મોરબીના સામાકાંઠે નટવરપાર્ક સોસાયટીમાં રહેતો વીપ્ર યુવાન કોઈ કારણોસર ઘરે કોઇને કંઇપણ જાણ કર્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. જે અંગે ગુમશુધા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કરેલી તપાસમાં ખૂલ્યુ હતુ કે યુવાન ઉપર દેણું વધી ગયું હોય તે પોતાના સસરાને ત્યાં નાગપુર ચાલ્યો ગયો હતો.

મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિમલ વિષ્ણુપ્રસાદ ઠાકર જાતે બ્રાહ્મણ (૪૫) રહે.મોરબી-૨ નટવર્કપાર્ક સોસાયટી ફલોરા ટાઉનશીપની સામેવાળાએ ગત તા.૨૯-૭ ના રોજ જાહેરાત કરી હતી કે, તેઓનો મોટો ભાઈ રાહુલ વિષ્ણુપ્રસાદ ઠાકર જાતે બ્રાહ્મણ (૪૭) રહે.મોરબી-૨ નટવરપાર્ક સોસાયટી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયેલ છે તેની તપાસ ચલાવી રહેલા ફીરોજભાઈ સુમરાએ તપાસ કરતા બનાવમાં ખૂલ્યું હતું કે ગુમ થયેલા રાહુલભાઈ ઠાકર ઉપર દેણું વધી ગયુ હોવાથી તેઓ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર તેમના સસરાને ત્યાં નાગપુર ચાલ્યા ગયા હતા અને હાલ તેઓની ભાળ મળી જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.






Latest News