માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગ્રાહક સુરક્ષાના કેસોમાં દરખાસ્ત લેવાનું બંધ થતા ન્યાય મંત્રીને રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં ગ્રાહક સુરક્ષાના કેસોમાં દરખાસ્ત લેવાનું બંધ થતા ન્યાય મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં બનેલા કેસને નાણાં ન મળતા દરખાસ્ત ભરવાની હોય છે જો કે, હાલમાં મોરબીમાં દરખાસ્ત લેવાનું બંધ કરાયું છે જેથી કરીને ગ્રાહકોને અન્યાય થાય છે જેથી કરીને આ બાબતે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રાજ્યના ન્યાય મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજ્યના ન્યાય મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં જીતેલા ગ્રાહકને સામેની પાર્ટી સમય મર્યાદામાં પૈસા ન આપે તો તેની દરખાસ્ત ભરવાની હોય છે જો કે, આખા ગુજરાતમાં દરખાસ્ત ભરાય છે પરંતુ મોરબીમાં દરખાસ્ત લેવાની ના પાડે છે અને બે મહિનાથી કોર્ટ બંધ હતી કારણ કે ન્યાયમૂર્તિ નથી, સભ્ય નથી, સ્ટેનો નથી, ક્લાર્ક નથી, પટાવાળા નથી, ન્યાયમૂર્તિ રાજકોટથી આવે છે, બાકીનો સ્ટાફ જામનગરથી આવે છે. આ પરિસ્થિતિમાં ગ્રાહક હેરાન થાય છે જેથી કરીને પાંચ વર્ષ સુધી કેસ ચાલે અને ગ્રાહક કેસ જીતી જાય, નાણા સમય મર્યાદામાં સામેની પાર્ટી ના ચૂકવે તો દરખાસ્ત ભરે તો સામેની પાર્ટી નાણા ચૂકવી આપે છે. પરંતુ દરખાસ્ત ભરવામાં આવે નહીં તો વીમા કંપની કે ફાઇનાન્સ કંપની કે અન્ય પાર્ટીને છુટ્ટો દોર મળી જાય અને ગ્રાહકને અંતે ન્યાય મળે નહીં અને સરકારી ગ્રાહક સુરક્ષાની સુંદર યોજના નિષ્ફળ જાય તેવો ઘાટ સર્જાય છે. જેથી કરીને ગ્રાહકને ન્યાય મળે તે માટે દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે સાથોસાથ મોરબી જિલ્લામાં હાલમાં રાજકોટ તથા જામનગરથી સ્ટાફ આવે છે તેના બદલે તમામ કાર્યવાહી જ્યાં સુધી સ્ટાફની ભરતી ન થાય ત્યાં સુધી રાજકોટ કેસ ચલાવવામાં આવે તેવી ગ્રાહક વતી માંગ કરી છે.






Latest News