ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પાવરીયાળી નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં


SHARE













મોરબીના પાવરીયાળી નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં

મોરબીની પાવરીયાળી કેનાલ પાસે હાઇવે રોડ ઉપર બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં ઇજા પામેલ બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણે કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડે આવેલ પાવડીયારી નજીક રહેતા સુખરામ અત્તરસિંગ (૩૦) અને ગિયાલાલ ભીયાલસિંગ નામના બે વ્યક્તિઓ પાવળીયારી કેનાલ પાસેથી હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બંને વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર બેલા નજીક આવેલ ઇન્ફાયો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા હરેરામસિંહ (૪૧) નામનો યુવાન એબીસી સિરામિક કારખાનાના ગેઇટ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા રણજીતભાઈ રાઘવજીભાઈ ઉપાસરિયા (૩૭) નામનો યુવાન ચાલીને બાયપાસ રોડથી પોતાના ઘરે ધરમપુર તરફ જતો હતો ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને આ બનાવની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News