ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ડેમી-૩ ડેમના રિપેરિંગ કામ માટે આજે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા


SHARE













મોરબી નજીકના ડેમી-૩ ડેમના રિપેરિંગ કામ માટે આજે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા

મોરબી નજીકના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમમાં રીપેરીંગ કામ કરવાનુ છે જેથી કરીને તા ૧૦/૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યેથી આ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ જેથી ડેમી નદીના પટ્ટમાં લોકોને અવર જવર ન કરવાની સુચના આપવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલ છે તે પૈકીનાં મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમમા રીપેરીંગ કામ કરવાનું છે જેથી કરીને સોમવારે તા.૧૦/૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવેલ છે અને ડેમી નદીના પટ્ટમાં પાણી છોડવામાં આવ્યુ છે જેથી કરીને ડેમીની નીચેના ભાગમાં આવેલા કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામપર અને જોડિયા તાલુકાના માવનુ ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર ન કરવા માટે થઈને સિંચાઇ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.

વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૦૨ થી ડેમી ત્રણ ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ ડેમની કુલ ક્ષમતા ૩૩૯ એમસીએફટી છે જોકે હાલમાં આ ડેમની અંદર ૮ % એટલે કે ૨૮ એમસીએટી જેટલું પાણી ભરેલું છે અને હાલમાં ડેમના સ્ટ્રક્ચર નું ટેસ્ટિંગ સહિતની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ દરવાજાનું પેન્ટિંગ કામ કરવાનું હોય ડેમની અંદર રહેલ પાણીના જળ જથ્થાને નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ૧૮ એમસીએફટી પાણી નદીમાં છોડવામાં આવશે જેથી કરીને નીચેના વિસ્તારમાં આવતા ચેક ડેમો માં પાણી ભરાઈ જશે અને ખેડૂતોને તેનો લાભ મળશે.






Latest News