મોરબીમાં કચરાના નિકલા માટેના પાલિકાના ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડતાં લોકો હેરાન
SHARE
મોરબીમાં કચરાના નિકલા માટેના પાલિકાના ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડતાં લોકો હેરાન
મોરબી પાલિકાના કચરાના ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ટ્રેક્ટર દોડાવવામાં આવે છે તેમાં જે વિસ્તારમાં કતલખાના ચાલુ હોય ત્યાંથી અબોલ જીવના કપાયેલા અવશેષોને પણ નાખવામાં આવે છે આવો જ કચરો લઈને જતાં એક ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો જાહેર રસ્તા ઉપર પડતાં હતા તેમ છતાં પણ પાલિકાનું ટ્રેક્ટર લઈને જઇ રહેલા વ્યક્તિએ તેની દરકાર લીધી ન હતી જેથી કરીને હાલમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી કચરાનો નિકાલ કરવા માટે પાલિકા દ્વારા ટ્રેક્ટર દોડાવવામાં આવે છે જેમાં કચરો લઈને ડંપિંગ સાઇટ ઉપર નાખવાનો હોય છે જો કે, અમુક વિસ્તારમાં કતલખાના આવેલ છે તેવા વિસ્તારમાંથી કચરાની સાથે અબોલ જીવના અવશેષોને પણ પાલિકાના કચરાના ટ્રેક્ટરમાં નાખવામાં આવે છે અને આવી જ રીતે અગાઉ પણ એક ટ્રેક્ટરમાંથી થોડા સમય પહેલા અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડ્યા હતા ત્યાં આજે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન રોડે અબોલ જીવના અવશેષો પાલિકાના કચરા નિકાલ માટેના ટ્રેક્ટરમાંથી જાહેર રસ્તા ઉપર પડ્યા હતા જેથી તે રોડ ઉપર થી પસાર થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો









