મોરબીના ટીંબડી નજીકથી આધાર પુરાવા વગરની ૩૫૦ બોરી યુરિયા ખાતર ભરેલ આઇસર ઝડપાયું: એકની પુછપરછ
માળીયા (મિં.) તાલુકાનાં ખેડૂતોને વિજલાઇન પાથરતી કંપની ઓછું વળતર આપતી હોવાની રાવ
SHARE
માળીયા (મિં.) તાલુકાનાં ખેડૂતોને વિજલાઇન પાથરતી કંપની ઓછું વળતર આપતી હોવાની રાવ
કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ વીજ લાઇન પથરવાનું કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ હળવદના ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તેવામાં હાલમાં મોરબી જિલ્લાના માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલા, ખાખરેચી, વેણાસર, વેજલપર, કુંભારીયા સહિતના ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી નીકળતી ૭૬૫ કેવી વીજ લાઈન પથરતી કંપની દ્વારા તેઓને ઓછું વળતર આપવામાં આવે છે તેવી કલેકટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, અગાઉ તેઓના ગામની આજુબાજુમાંથી આવી જ રીતે ત્રણેક હેવી વીજ લાઈનો નીકળી હતી તેમાં જે વળતર આપવામાં આવ્યું હતું તેનાથી પણ ઓછું વળતર હાલમાં આપવામાં આવી રહ્યું છે અને આ ગામના ખેડૂતો દ્વારા કોઈપણ પ્રકારની રૂકાવટ કે અડચણ ઉભી કરી નથી તો પણ કલમ- ૧૬ અન્વયે વિજલાઈન નિર્માણ કાર્ય અટકાવવા બાબતે નોટીસ આપવામાં આવે છે જેથી ખેડૂતોમાં નારાજગી છે અને તેઓને વીજ લાઈન પથરતી કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે અને વિજ ટાવરનું ભાડુ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી છે.