મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં સંસ્થાએ નવી દિવાલ બનાવેલ નથી છતાં તંત્ર કહે તેમ કરવા અમે તૈયારઃ ભરતભાઇ બોપલીયા


SHARE











મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બની રહેલા સ્વામિનારાયણ મંદિરના બાંધકામ અને ત્યાં બનાવવામાં આવેલ દિવાલને લઈને પ્રશ્નો ઉભા થયા હતા જે બાબતે ખુલાસો કરવા માટે આજે સંસ્થા દ્વારા મંદિરના પટાંગણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી હરિભક્તે માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાંધકામ ચાલી રહ્યું છે તેના માટે તંત્ર પાસે ગત એપ્રિલ માસમાં મંજૂરી માંગવા માટે એપ્લિકેશન કરવામાં આવેલ છે અને જે દીવાલને લઈને પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે તે દિવાલ નવી બનાવવામાં આવી નથી જે જૂની દીવાલ હતી તેના ઉપર જ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જો લોકોના હિત માટે તંત્ર તરફથી તે દિવાલ હટાવવા માટેની સૂચના આપવામાં આવશે તો સંસ્થા તે દિવાલ હટાવવા માટે થઈને તૈયાર છે

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય મંદિર બનાવવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે દરમિયાન મંદિરના બાંધકામ અને મંદિર પાસે મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને લઈને પ્રશ્નો ઊભા થયા હતા અને તેને લઈને કલેક્ટર સુધી અરજીઓ કરવામાં આવી હતી જેની તપાસ હાલમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આજે મંદિર પટાંગણમાં સંસ્થા દ્વારા જાહેર હિતમાં માહિતી પહોંચાડવા માટે થઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ બોપલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મંદિરનું તેમજ મંદિર પરિસરમાં જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે સંસ્થાની માલિકીની જ જમીન છે અને તેના બાંધકામની પરવાનગી લેવા માટે ગત તા. 15/4/2024 ના રોજ એપ્લિકેશન કરવામાં આવેલ છે જોકે ટેકનિકલ કારણોસર તે અરજી પેન્ડિંગ છે 

જે દીવાલને લઈને વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે દિવાલ નવી બનાવવામાં આવી નથી જેથી કરીને તેની મંજૂરી લેવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી અને વર્ષો પહેલા રાજાશાહીના વખતમાં મચ્છુ નદીમાં જે દિવાલ હતી તેના ઉપર જ બાંધકામ કરીને દીવાલને ઊંચી બનાવવામાં આવેલ છે તેમ છતાં પણ જો મોરબીના લોકોના હિતને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જે કોઈપણ નિર્ણય લેવામાં આવશે તેને સંસ્થા અનુસરસે અને જો આ દિવાલને તોડી પાડવા માટેની સૂચના આપવામાં આવશે તો દિવાલ તોડી પાડવા માટે પણ સંસ્થા તૈયાર છે કેમ કે, આ મંદિર લોકોના હિત અને સુખ-શાંતિ માટે બનાવવામાં આવી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર અને કાયદાની સાથે રહીને સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી




Latest News