મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત


SHARE











હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત

હળવદની કોર્ટ અને તાલુકા પંચાયતમાં સફાઈ કામ કરતું દંપતિ પોતાનું કામ પૂરું કરીને હળવદથી ટીકર બાજુ જઈ રહ્યું હતું ત્યારે જુના અમરાપર પાસે તેઓના ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ બાબુભાઇ પરમાર (31) અને મુક્તાબેન અશ્વિનભાઈ પરમાર (31) હળવદમાં આવેલ કોર્ટ તેમજ તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કામ કરે છે તે કામ પૂરું કરીને તેઓ બાઇક લઈને હળવદથી પાછા ટીકર જઈ રહ્યા હતા ત્યારે જુના અમરાપર નજીક કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને આ બનાવની જાણ થતાં પરિવારજનો તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક દંપતીના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દંપતીને ત્રણ દીકરી અને એક દીકરો છે જે ચાર સંતાનોએ આજે આ અકસ્માતના બનાવના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે




Latest News