મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને બેંગલોરથી પકડ્યો હળવદ ટાઉનમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત મોરબીના લાભનગર પાસે બાવળની કાંટમાંથી દારૂની 87 બોટલો ઝડપાઈ, આરોપીની શોધખોળ વાંકાનેરની કોર્ટે કરેલા આદેશની અવગણના કરનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ


SHARE



















મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ

મોરબીના મુસાફરોને અમદાવાદ, સોમનાથ અને ભુજ તરફ આવવા અને જવા માટે ટ્રેનની સુવિધા મળી તે અનિવાર્ય છે જેથી કરીને ભાજપના આગેવાન દ્વારા હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ભાજપ ઓબીસી વિભાગના મંત્રી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પોપટભાઈ શિરોહિયાએ હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત ભુજ મોરબીથી અમદાવાદ સુધીની દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂરી છે અને ભુજથી મોરબી થઈને સોમનાથ મંદિર સુધીને દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂર છે જે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડશે અને ડેમુ ટ્રેન મોરબી, વાકાનેર, રાજકોટ, જૂનાગઢ સુધી દોડાવવામાં આવે તેઓ મુસાફરોને તેનો લાભ મળે તેમ છે જેથી આ ટ્રેનને મુસફારોની સુવિધા માટે વહેલમાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News