હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત
મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ
SHARE










મોરબીમાં મુસાફરો માટે અમદાવાદ, ભુજ અને સોમનાથ સુધીની દૈનિક ટ્રેન દોડાવવાની માંગ
મોરબીના મુસાફરોને અમદાવાદ, સોમનાથ અને ભુજ તરફ આવવા અને જવા માટે ટ્રેનની સુવિધા મળી તે અનિવાર્ય છે જેથી કરીને ભાજપના આગેવાન દ્વારા હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપ ઓબીસી વિભાગના મંત્રી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પોપટભાઈ શિરોહિયાએ હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત ભુજ મોરબીથી અમદાવાદ સુધીની દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂરી છે અને ભુજથી મોરબી થઈને સોમનાથ મંદિર સુધીને દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂર છે જે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડશે અને ડેમુ ટ્રેન મોરબી, વાકાનેર, રાજકોટ, જૂનાગઢ સુધી દોડાવવામાં આવે તેઓ મુસાફરોને તેનો લાભ મળે તેમ છે જેથી આ ટ્રેનને મુસફારોની સુવિધા માટે વહેલમાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

