મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE









ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કાગદડી ગામે થયેલ મારામારી અને લુંટના બનાવમાં ૨૧ વર્ષ બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી અને બાદમાં આ કેસ આરોપી પકડાતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.જેને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે.

આ કામની ફરીયાદ એવી હતી કે, મોરબીથી રાજકોટ તરફ જતા રોડ ઉપર લુંટ-ઘાડનો પ્લાન બનાવીને ટંકારાથી આગળ હાઈવે રોડ ઉપર કાગદળી ગામ પાસે રાત્રીના દોઢેક વાગ્યે ઉભા હતા ત્યારે તેઓએ ભીની માટીમાં અણીવારા પથ્થરો છુટક રીતે રાખી રોડ ઉપર ખોડેલ હતા અને આ દરમ્યાન તમામ આરોપીઓ બાજુના બાવળની જાળમાં છુપાઈ ગયેલ હતા તેવામાં આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઈવર તથા સાહેદ ટ્રક કિલનર ટ્રક લઈને ભુજ તરફ જઈ રહયા હતા ત્યારે કાગદળી ગામના પાટીયા પાસે આ કામના આરોપીઓએ રોડ ઉપર કાળી મેટલના પથ્થરો ખોળી દઈ ઉપર માટી નાખી દઈ ફરીયાદીની ટ્રકને પંચર કરતા ફરીયાદી ડ્રાઇવર તથા સાહેદ ટ્રકના વ્હીલમા થયેલ પંચર માટે વ્હીલ ખોલવા નીચે ઉતરતા જ આરોપીઓ બાવળના લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદને માર મારીનો ધાડ-લુંટ કરી હોય આ બાબતની ભારતીય દંડ સહીંતાની કલમ ૩૨૩, ૩૯૫, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૩૭(૧), ૧૩૫ વિગેરે હેઠળ ફરીયાદ દાખલ કરવામા આવી હતી.

હાલમા આ કેસમા પોલીસએ આરોપીઓ પૈકીના રમેશભાઈ તોલીયાભાઈ બારીયા જાતે ભીલની ૨૧ વર્ષે ધરપકડ કરી હચી.આ આરોપીએ મોરબીના વકીલ આર.ડી.ચાવડા (રવિ ચાવડા) મારફત ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.આ જામીન અરજીની કામગીરીમાં બંને પક્ષોની તમામ દલીલોને અંતે નામ.જિલ્લા અદાલતે આરોપી પક્ષની દલીલો ગાહ્ય રાખીને આરોપી રમેશ ભીલને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો.






Latest News