મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો
ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE
ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કાગદડી ગામે થયેલ મારામારી અને લુંટના બનાવમાં ૨૧ વર્ષ બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી અને બાદમાં આ કેસ આરોપી પકડાતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.જેને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે.
આ કામની ફરીયાદ એવી હતી કે, મોરબીથી રાજકોટ તરફ જતા રોડ ઉપર લુંટ-ઘાડનો પ્લાન બનાવીને ટંકારાથી આગળ હાઈવે રોડ ઉપર કાગદળી ગામ પાસે રાત્રીના દોઢેક વાગ્યે ઉભા હતા ત્યારે તેઓએ ભીની માટીમાં અણીવારા પથ્થરો છુટક રીતે રાખી રોડ ઉપર ખોડેલ હતા અને આ દરમ્યાન તમામ આરોપીઓ બાજુના બાવળની જાળમાં છુપાઈ ગયેલ હતા તેવામાં આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઈવર તથા સાહેદ ટ્રક કિલનર ટ્રક લઈને ભુજ તરફ જઈ રહયા હતા ત્યારે કાગદળી ગામના પાટીયા પાસે આ કામના આરોપીઓએ રોડ ઉપર કાળી મેટલના પથ્થરો ખોળી દઈ ઉપર માટી નાખી દઈ ફરીયાદીની ટ્રકને પંચર કરતા ફરીયાદી ડ્રાઇવર તથા સાહેદ ટ્રકના વ્હીલમા થયેલ પંચર માટે વ્હીલ ખોલવા નીચે ઉતરતા જ આરોપીઓ બાવળના લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદને માર મારીનો ધાડ-લુંટ કરી હોય આ બાબતની ભારતીય દંડ સહીંતાની કલમ ૩૨૩, ૩૯૫, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૩૭(૧), ૧૩૫ વિગેરે હેઠળ ફરીયાદ દાખલ કરવામા આવી હતી.
હાલમા આ કેસમા પોલીસએ આરોપીઓ પૈકીના રમેશભાઈ તોલીયાભાઈ બારીયા જાતે ભીલની ૨૧ વર્ષે ધરપકડ કરી હચી.આ આરોપીએ મોરબીના વકીલ આર.ડી.ચાવડા (રવિ ચાવડા) મારફત ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.આ જામીન અરજીની કામગીરીમાં બંને પક્ષોની તમામ દલીલોને અંતે નામ.જિલ્લા અદાલતે આરોપી પક્ષની દલીલો ગાહ્ય રાખીને આરોપી રમેશ ભીલને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો.