મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં 'થોડીવાર બહાર જાઉં છુ.' કહીને નીકળેલ યુવાન ગુમ


SHARE











મોરબીમાં 'થોડીવાર બહાર જાઉં છુ.' કહીને નીકળેલ યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે વોરા બાગ નજીક આવેલ ફલોરા ટાઉનશીપ પાસેના રોયલ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ હળવદના અજીતગઢ ગામનો આહિર યુવાન "થોડીવાર બહાર જાઉં છુ." તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હોય ઘરમેળે શોધખોળ બાદ પોલીસમાં જાણ કરાઇ હતી.જેથી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ફલોરા ટાઉનશીપ પાસેની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ હળવદના અજીતગઢ ગામના સુનિલભાઈ પ્રભાતભાઈ રાઠોડ જાતે આહિર (૨૮) એ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે, તેમના નાના ભાઈ સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ જાતે આહીર (ઉમર ૨૬) મૂળ રહે.અજીતગઢ હાલ રહે.રોયલ પાર્ક સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળા ગત તા.૧૦-૬ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઘરેથી 'બહાર જાવ છું' તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં પરત આવેલ નથી.પરિવાર દ્વારા ગુમ થયેલા સરમણભાઇની ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી કરીને આ બાબતે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ દાખલ કરાવવામાં આવી હતી.જેની આગળની તપાસ સ્ટાફના જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. ગુમ થયેલા સરમણભાઈ રાઠોડ બાબતે કોઈ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે (૦૨૮૨૨-૨૪૨૬૫૧) અથવા તો સરમણભાઇના ભાઈ સુનિલભાઈના ફોન નંબર ૭૬૦૦૪ ૬૨૭૭૭ ઉપર જાણ કરવા જણાવાયેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોકમાં આવેલ આકાશ એપાર્ટમેન્ટ-૧ માં રહેતા ધીમંતભાઈ અજીતભાઈ હિંડોચા નામના ૫૦ વર્ષના આધેડ તેમના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી કરીને તેમને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના ડી.એ.વાઘડીયાએ પહોંચીને તપાસ કરી હતી. જ્યારે જોડિયા તાલુકાના ભીમકટા ગામે રહેતા સંજનાબેન નાનજીભાઈ રેસીયા નામની ૧૮ વર્ષીય યુવતી પણ કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી જતા તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જેની આગળની તપાસ પણ સ્ટાફના ડી.એ.વાઘડિયા દ્વારા કરવામાં આવી હતી






Latest News