મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર દ્વારા કર્યું આયોજન


SHARE















અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર દ્વારા કર્યું આયોજન

અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સહકારથી તાજેતરમાં ગાંધીનગર ખાતે તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય મહિલા અધ્યક્ષ શ્રીમતી મોહિનીજી શાકયવાર તેમજ દેશના અલગ અલગ રાજ્યો ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશમાંથી તથા અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રમુખો તેમજ સંગઠનના રાષ્ટ્રિય મહિલા હોદ્દેદારો ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાના મહિલા પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સંગઠનને દરેક રાજ્યમાં મજબુત કરી સમગ્ર દેશમાં વસતાં કોળી સમાજની મહિલાઓને શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય જેવાં વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે મજબૂત અને સક્ષમ કરવાં તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોળી સમાજમાંથી શહીદ થયેલા નિડર મહિલા ઝલ્કારી બાઈનાં દેશ માટેનાં બલિદાનથી લઈ દેશ માટેના કોળી સમાજના યોગદાનનો ઈતિહાસ વર્ણવતાં દેશભક્તિનો અનેરો અનુભવ થયો હતો. આ બેઠક પૂર્ણ થતાં દેશના દરેક રાજ્યોથી આવેલા મહિલા હોદ્દેદારોને શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા શિલ્ડ આપીને તેમના કાર્યોને બિરદાવ્યાં હતાં.






Latest News