મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે નળિયાના કારખાના નજીક સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક આધેડ અને એક યુવાનને ઇજા થયેલ છે જેથી તે બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

બનવાની જાણવા મળતી માહિત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આવેલા મોમાઇ નડિયાદના કારખાના પાસે રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ કાંતિલાલ સોલંકી (24) અને રફાળેશ્વર ગામે રહેતા બળદેવ કરસનભાઈ મકવાણા (57) ને મોમાઈ નળિયાના કારખાના નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા અને હોસ્પિટલ ખાતે તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં રહેતો શાહરૂખ હુસેનભાઈ બ્લોચ (19) નામનો યુવાન વાંકાનેર થાન ચોકડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ પ્રથમ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર સિટી પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

રિક્ષા પલટી
સુરેન્દ્રનગરના નાગવાડા ગામે ઠાકોરવાસમાં રહેતા જીલાભાઈ નારણભાઈ (47) નામનો યુવાન જીવાગામ થી ચુલી ગામ તરફ જવાના રસ્તા ઉપર રિક્ષા લઈને જતો હતો ત્યારે રીક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો ધાંગધ્રા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી છે






Latest News