ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે નળિયાના કારખાના નજીક સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક આધેડ અને એક યુવાનને ઇજા થયેલ છે જેથી તે બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

બનવાની જાણવા મળતી માહિત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આવેલા મોમાઇ નડિયાદના કારખાના પાસે રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ કાંતિલાલ સોલંકી (24) અને રફાળેશ્વર ગામે રહેતા બળદેવ કરસનભાઈ મકવાણા (57) ને મોમાઈ નળિયાના કારખાના નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા અને હોસ્પિટલ ખાતે તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં રહેતો શાહરૂખ હુસેનભાઈ બ્લોચ (19) નામનો યુવાન વાંકાનેર થાન ચોકડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ પ્રથમ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર સિટી પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

રિક્ષા પલટી
સુરેન્દ્રનગરના નાગવાડા ગામે ઠાકોરવાસમાં રહેતા જીલાભાઈ નારણભાઈ (47) નામનો યુવાન જીવાગામ થી ચુલી ગામ તરફ જવાના રસ્તા ઉપર રિક્ષા લઈને જતો હતો ત્યારે રીક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો ધાંગધ્રા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી છે






Latest News