મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર મારામારીમાં ત્રણ ને ઈજા


SHARE













મોરબીના પંચાસર રોડ ઉપર મારામારીમાં ત્રણ ને ઈજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ પાર્ક સોસાયટી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.સામસામે થયેલી મારામારીના આ બનાવમાં બે ભાઈઓ તથા એક યુવાન એમ ત્રણ લોકોને ઇજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જયાં ત્રણેયની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા મયુરસિંહ જોરૂભા જાડેજા (૩૭) અને વિરેન્દ્રસિંહ જોરૂભા જાડેજા (૩૯) નામના બે ભાઈઓને મારામારીના બનાવમાં ઈજા થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સામેના પક્ષેથી ત્યાં જ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા રવિભાઇ મોહનભાઈ ગોહેલ (૪૧) ને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હોય તેમને પણ સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલમાં ત્રણેયની સારવાર શરૂ કરીને હોસ્પિટલ સુત્રો તરફથી સીટી એ ડિવિઝન પોલીસમાં મારામારીના આ બનાવ અંગે જાણ કરવામાં આવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા મારામારીના આ બનાવની પ્રાથમિક નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

રોહીદાસપરા વિસ્તારમાં મારામારી

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડાને તેમના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી.જેથી પરસોત્તમભાઈ ચાવડાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના અશોકભાઈ સારદિયા દ્વારા મારામારી સંદર્ભે આગળની તપાસ શરૂ કરાયેલ છે.મારામારીના આ બનાવમાં સામેના પક્ષેથી પણ અજય નામના યુવાનને ઇજા થઇ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડ મહિલા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના અજીતગઢ ગામે મંદિર નજીક રહેતા મધુબેન દિનેશભાઈ પટેલ નામના ૫૦ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મધુબેન પટેલ તેમના ઘરેથી મોરબી બાજુ આવી રહ્યા હતા.ત્યારે હળવદ અને અજીતગઢ ગામની વચ્ચે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા શાહિલાબેન વેસ્તાભાઈ બામણીયા નામની ૪૦ વર્ષીય મહિલાને જેતપર ગામે ઘરે પડી જવાથી હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના જનકસિંહ પરમાર દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News