ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ કેબિનમાંથી મોબાઈલ ફોનની ચોરી !


SHARE













હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ કેબિનમાંથી મોબાઈલ ફોનની ચોરી !

હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળાની બાજુમાં ઝેરોક્ષની કેબીન ધરાવતા યુવાનની કેબિનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર જૂના આંબેડકરવાસમાં રહેતા મુકેશભાઈ હરિલાલ પુરાણી જાતે અનુ. જાતિ (40)એ અજાણ્યા શખ્સની સામે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ શ્રી રામ ગૌશાળાની બાજુમાં તેની ઝેરોક્ષની કેબિન આવેલ છે ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના વિવો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 7000 ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગરમાં રહેતા કાંતાબેન વેણીરામ અગોલા (67) નામના વૃદ્ધા ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ઋષભનગર શેરી નં-3 માંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા તેમને જમણા પગના થાપાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.

મારા મારીમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશન સવજીભાઈ કુંવરીયા (24) અને સંજય સવજીભાઈ કુંવરીયા (30) નામના બે યુવાનોને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતી હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસને જાણ કરી હતી અને કયા કારણોસર મારા મારી થયેલ હતી તેની તપાસ હવે જે.જે. ડાંગર કરી રહ્યા છે.






Latest News