મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મિં.) નજીક બ્રિજ ઉપર બ્રેક ડાઉન થયેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવરનું મોત


SHARE







માળીયા (મિં.) નજીક બ્રિજ ઉપર બ્રેક ડાઉન થયેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવરનું મોત

માળીયા મીંયાણાના ત્રણ રસ્તા બ્રિજ ઉપરથી કચ્છથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર બ્રેક ડાઉન થઈને ઉભેલા ટ્રક ટ્રેલરના ઠાઠામાં ધડાકાભેર બીજો ટ્રક અથડાયો હતો.જેથી અકસ્માત થયો હતો અને ટ્રક અથડાવનાર વાહન ચાલકને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું.જે બનાવ સંદર્ભે હાલમાં ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મુન્દ્રામાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ભુરૂભા ઝાલા જાતે દરબાર (31) એ હાલમાં મૃતક જયંતીભાઈ નથુભાઈ કોળી (42) રહે.રાતડીયા તા.નખત્રાણા કચ્છ સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓઅ જણાવ્યુ છે કે, કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ત્રણ રસ્તા પાસે બ્રિજ ઉપર ફરિયાદીનો ટ્રક ટ્રેલર નંબર જીજે 12 સીપી 7099 બ્રેક ડાઉન થઈને ઉભેલ હતો.દરમિયાન આરોપી તેના હવાલાવાળો ટ્રક નંબર જીજે 12 સીટી 3532 લઈને કચ્છ બાજુથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના ટ્રકની પાછળના ભાગમાં તેણે પોતાનો ટ્રક અથડાવ્યો હતો.જેથી અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના આ બનાવમાં પાછળના ટ્રકના ચાલક એવા જયંતીભાઈ કોળીને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી.જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ટ્રાન્સપોર્ટર દ્વારા નોંધાવાયેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાવડી રોડ મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શિવમ સોસાયટી વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.શેરીમાં રમી રહેલા બાળકો વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ તેમના વડીલો વચ્ચે ઝગડો થયો હતો એના બાદમાં સામસામે મારામારી થઈ હતી.તે બાબતે એક પક્ષેથી ફરિયાદ નોંધાઈ હતી.જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વળતી ફરિયાદ નોંધાવવા પામી છે.જેમાં રવિભાઈ મોહનભાઈ ગોહેલ રજપૂત (40) રહે.શિવમ સોસાયટીએ સામેવાળા મયુરસિંહ જોરૂભા જાડેજા, વિરેન્દ્રસિંહ જોરૂભા જાડેજા અને એક અજાણ્યો ઇસમ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પુત્ર અને સામેવાળાના પુત્રને શેરીમાં રમતા સમયે ઝઘડો બોલાચાલી થયેલ હતી.તે બાબતે તેઓ સામેવાળાને સમજાવવા માટે ગયા હતા.તે દરમિયાનમાં તેઓએ ઉગ્ર બોલાચાલી કરીને તેમના ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.આ બાબતે વળતી ફરિયાદ નોંધીને એ ડિવિઝન પોલીસ સ્ટાફે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.

બાઈક સ્લિપ થઈ જતા ઈજા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાછળ "શાંતિ નિવાસ" માં રહેતો પ્રશાંત રાજેશભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન મોરબીના શાકમાર્કેટ પાસેથી પરત પોતાના ઘર તરફ જતો હતો.ત્યારે શનાળા રોડ ઉપર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી ઇજાગ્રસ્ત પ્રશાંત પરમારને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને આ બાબતે જાણ કરાતા સ્ટાફના ડી.આર.ઝાલા દ્વારા અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.





Latest News