મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ કેબિનમાંથી મોબાઈલ ફોનની ચોરી !


SHARE













હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ કેબિનમાંથી મોબાઈલ ફોનની ચોરી !

હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળાની બાજુમાં ઝેરોક્ષની કેબીન ધરાવતા યુવાનની કેબિનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર જૂના આંબેડકરવાસમાં રહેતા મુકેશભાઈ હરિલાલ પુરાણી જાતે અનુ. જાતિ (40)એ અજાણ્યા શખ્સની સામે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદમાં પોલીસ સ્ટેશન નજીક આવેલ શ્રી રામ ગૌશાળાની બાજુમાં તેની ઝેરોક્ષની કેબિન આવેલ છે ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના વિવો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 7000 ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષભનગરમાં રહેતા કાંતાબેન વેણીરામ અગોલા (67) નામના વૃદ્ધા ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ઋષભનગર શેરી નં-3 માંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા તેમને જમણા પગના થાપાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.

મારા મારીમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા કિશન સવજીભાઈ કુંવરીયા (24) અને સંજય સવજીભાઈ કુંવરીયા (30) નામના બે યુવાનોને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતી હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસને જાણ કરી હતી અને કયા કારણોસર મારા મારી થયેલ હતી તેની તપાસ હવે જે.જે. ડાંગર કરી રહ્યા છે.




Latest News