મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે માલઢોરનો ધંધો પસંદ ન હોય એક માસ પૂર્વે લગ્ન થયેલા યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીના બગથળા ગામે માલઢોરનો ધંધો પસંદ ન હોય એક માસ પૂર્વે લગ્ન થયેલા યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના બગથળા ગામે યુવાને તેના ઘરે અંતિમ પગલું ભરી લેતા તે યુવાનનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક યુવાનના લગ્ન એકાદ માસ પહેલા જ થયા હતા અને તેઓના ઘરે માલઢોર (પશુ પાલન) નો ધંધો હોય અને તેને માલ ઢોરનો ધંધો પસંદ ન હોય અન્ય ધંધો કરવો હતો.જો કે પિતા અને પરિવાર દ્વારા પશુ પાલનનો ધંધો કરવાનું કહેવામાં આવતા આ બાબતે મનોમન લાગી આવતા તેણે મોતની સોડ તાંણી લીધી હતી અને તેનું મોત થતા પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો મેહુલ નવઘણભાઈ ગમારા નામનો 22 વર્ષનો યુવાન તેના ઘરે હતો.ત્યારે ગત રાત્રી દરમિયાન તેણે તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે મૃતક મેહુલ ગમારાના એકાદ માસ પહેલા જ લગ્ન થયા હતા અને તેમના ઘર પરિવારનો માલ ઢોરનો ધંધો હતો.જેથી તે માલ ઢોરનું કામકાજ કરતો હતો.પરંતુ તેનું મન તે કામમાં લાગતું ન હોય અને તે અન્ય કોઇ ધંધો કરવા માગતો હતો. જો કે તેના પિતા દ્વારા માલઢોરનો ધંધો જ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તે અન્ય ધંધો કરવા માગતો હતો આ બાબતે તેને ઉપરોક્ત આત્યાંતીક પગલું ભરી લેતા મેહુલ ગમારાનું મોત નિપજયુ હતુ.બનાવને પગલે તેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.તેમજ નાના એવા બગથળા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

પરિણીતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નાગડાવાસ (મધુપુર) ગામે રહેતા વિરલબેન નવીનભાઈ આદ્રોજીયા નામની 25 વર્ષીય પરિણિતાને તેના ઘરે તેના પતિ, સાસુ તેમજ દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી કરીને તેને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યાંથી પોલીસમાં જાણ થતા હાલ મારામારી સંદર્ભે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા મહેશ મુળસિંગ બામણીયા નામના ૧૯ વર્ષીય મજુર યુવાનને ઝેરી સાપ કરડી જવાથી તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના નંદરામભાઇ મેસવાણિયા દ્રારા રાબેતા મુજબની તપાસ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ નજીક રહેતા દિનેશભાઈ ધનજીભાઈ ડાભી નામના 50 વર્ષના આધેડને અકસ્માત બનાવમાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ એસપી રોડ બાજુ વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.






Latest News