ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

નર્મદા મૈયાની જય હો..: મોરબીના મચ્છુ-2 ડેમમાં વગર વરસાદે સાડા ત્રણ ફૂટ પાણીની આવક


SHARE













નર્મદા મૈયાની જય હો..: મોરબીના મચ્છુ-2 ડેમમાં વગર વરસાદે સાડા ત્રણ ફૂટ પાણીની આવક

મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે આ ડેમના કુલ 38 દરવાજા પૈકીના પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થઈ જતા હાલમાં ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી તાલુકા, ડેમના કેચમેટ વિસ્તાર કે પછી ડેમના ઉપરના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નથી છતાં પણ મચ્છુ-2 ડેમમાં નવું ત્રણ ફૂટ પાણી આવ્યું છે. તેવી માહિતી સિંચાઈ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી રહે છે.

સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં સારો વરસાદ પડે ત્યારબાદ નદી, તળાવ તથા ડેમમાં નવા નીરની આવક થતી હોય છે જો કે, વરસાદ ન હોવા છતાં પણ પાણી આવક થાય તો ? મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં હાલમાં નવા નીરની આવક થવા લાગી છે મોરબી નજીકનો મહાકાય મચ્છ-2 ડેમ ભરાવા લાગ્યો છે. મોરબી તથા માળિયા તાલુકાને પીવા માટેનું પાણી મચ્છુ-2 ડેમમાંથી સપ્લાય કરવામાં આવે છે જોકે, આ ડેમના 38 પૈકીના પાંચ દરવાજા જર્જરિત થઈ ગયા હતા જેથી કોઈ દુર્ઘટના ન બને તે માટે તેને બદલાવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તે પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે

જેથી ડેમમાં પુનઃ પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં મોરબી તાલુકા, ડેમના કેચમેન્ટ વિસ્તાર કે પછી ડેમના ઉપરવાસના વિસ્તારમાં નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ હજુ સુધી વરસ્યો નથી તેમ છતાં પણ ડેમની અંદર નવા નીરની આવક થયેલ છે જેની સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ડેમના ઉપરવાસના વિસ્તારમાં વરસાદ થાય તેનું પાણી ડેમમાં આવતું હોય છે તેની સાથોસાથ નર્મદાની મચ્છુ કેનાલ મારફતે નર્મદાનું પાણી પણ મચ્છુ-2 ડેમ સુધી આવે છે

હાલમાં નર્મદાની મચ્છુ-2 ડેમ સુધી આવતી કેનાલ મારફતે જે પાણી મોકલવામાં આવે છે તેને ડેમમાં સંગ્રહ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, અત્રે ઉલેખનીય છે કે, જે તે સમયે ડેમના પાંચ દરવાજાનું રીપેરીંગ કામ કરવાનું હતું જેથી ડેમમાં રહેલ જળ જથ્થાને મચ્છુ નદીમાં છોડી દેવામાં આવ્યો હતો અને ડેમને ખાલી કરવામાં આવ્યો હતો. જોકે ડેમના દરવાજાનું રીપેરીંગ કામ પૂર્ણ થતાની સાથે જ ડેમમાં ફરી પાછું પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને જે તે સમયે ડેમમાં માત્ર ચારેક ફૂટ જેટલું પાણી હતું પરંતુ આજની તારીખે સાડા સાત ફૂટ જેટલું પાણી ડેમમાં ભરેલ છે અને આ ડેમની કુલ જળ સપાટી 33 ફૂટની છે. તેમાં હાલમાં સાડા સાત ફૂટ જેટલું પાણી ભરેલ છે અને હજુ પણ નર્મદાની મચ્છુ કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ડેમમાં આવી જ રહ્યો છે.






Latest News