મોરબીના શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ઠંડા પાણી માટેની 120 નંગ બોટલો અપાઈ
મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ
SHARE
મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ
મોરબીના જાણીતા શ્રીજી જવેલર્સ વાળા સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું અકાળે અવસાન થતા તેમના આત્મશ્રેયાર્થે તેમના મિત્રોએ અહીંના જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્મીક દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે સદગત રવિનભાઇના મિત્રો તેમજ પકિવારજનોએ તેમના હાથે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો.શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.