મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણના લીધે અજુગતુંપગલું ભરી લેતા આધેડનું મોત


SHARE















મોરબીમાં આર્થિક સંકળામણના લીધે અજુગતુંપગલું ભરી લેતા આધેડનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા આધેડે તેઓના ઘરે અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજયુ હતું અને બનાવને પગલે મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની પોલીસને જાણ થતા પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે આર્થિક કારણોસર આધેડે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને તેના લીધે તેમનું મોત થયેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ રવજીભાઈ સોલંકી નામના ૪૯ વર્ષના આધેડએ તેમના ઘરે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.જેથી તેમના ડેડબોડીને તેમનો દીકરો નિલેશભાઇ સોલંકી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યો હતો.હોસ્પિટલ ખાતે પીએમની વિધિ શરૂ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની પોલીસને જાણ થતા સ્ટાફના હિતેશભાઈ મકવાણ તપાસ માટે પહોંચ્યા હતા.તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મોહનભાઈ સોલંકી છૂટક મજૂરી કામ કરતા હતા જોકે મજૂરી કામ બરોબર મળતું ન હોય આર્થિક સંકળામણ રહેતી હતી. જેથી કરીને તેઓએ આર્થિક કારણોસર ઉપરોક્ત પગલું ભરી લેતા તેમનું મોત નિપજેલ છે.

ઇલેક્ટ્રીક શોટથી ભેંસનુ મોત

મોરબીના વીસીપરામાં વીજ થાંભલા પાસે ઇલેક્ટ્રીક શોટ લાગવાથી ભેંસનું મોત નીપજ્યું હતું.આ બાબતે મોરબીના વીસીપરા બિલાલી મસ્જિદ મદીના સોસાયટી પાસે આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા ઝુબેદાબેન ગુલામહુસેનભાઇ (૪૫) એ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, વીસીપરા અમરેલી રોડ ઉપર આવેલ સીટીઝન કારખાના પાસે થાંભલા નજીક ગત તા.૨૮-૬ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેઓની ભેંસ ઉભી હતી.ત્યારે થાંભલાને અડી જતા શોટ લાગવાથી ભેંસનું મોત થયુ હતું.હાલ આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News