મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જમીન-પ્લોટના પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને એક પખવાડિયાનું અલ્ટિમેટમ, નહીં તો જીગ્નેશ મેવાણી કરશે અચોક્કસ મુદતનું આંદોલન


SHARE















મોરબી જીલ્લામાં જમીન-પ્લોટના પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને એક પખવાડિયાનું અલ્ટિમેટમ, નહીં તો જીગ્નેશ મેવાણી કરશે અચોક્કસ મુદતનું આંદોલન

ગુજરાતનાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય આજે પણ મોરબીમાં હતા અને તેમણે મોરબી જીલ્લામાં ગામ તળ માં 100 વરિયા પ્લોટ માટે હેરાન થતાં પરિવારોને ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. તેની સાથે માલીકીની જમીનને લાગતા પ્રશ્નો, અધિકારીનોના હુકમ પછી પણ વર્ષો સુધી ઘર વિહોણા લોકોને પ્લોટ ન આપવા સહિતના સવાલો કર્યા હતા અને મોરબીમાં કલેક્ટર તંત્ર ખાડે ગયેલ છે તેવો આક્ષેપ કર્યો હતો અને હાલમાં કરેલ રજૂઆતમાં કેટલું કામ કર્યું તેની ઉઘરાણી કરવા માટે તે એક પખવાડિયા પછી મોરબી આવશે અને જો કામ નહીં થયું હોય તો તે અહી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર ગુજરાતમાં બનેલ ગોજારી ઘટનાઓના પીડિતોની હાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો મુલાકાત કરી રહ્યા છે તેવામાં આજે કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના હોદેદારો મોરબીના સર્કિટ હાઉસે બેઠા હતા ત્યારે મોરબી તાલુકામાંથી જુદાજુદા ગામના અરજદારો તેમની પાસે આવ્યા હતા અને તેઓના પ્રશ્નોને સાંભળ્યા હતા ત્યારે બાદ અરજદારોને સાથે રાખીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા.

ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગરીબોને ગામતળમાં 100 વરિયા પ્લોટ આપવામાં આવતા નથીસાથણીની જામીનમાં કૌભાંડકબ્જા વળી જામીનને લીઝમાં આપી દેવી અને જીલ્લામાં કામ કરતાં આઉટ શોર્સના કર્મચારીઓનું શોષણ થાય છે તો શ્રમ અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સહિતના પ્રશ્નોનો તેમણે કલેક્ટર સમક્ષ ઢગલો કર્યો હતો અને કલેકટર કચેરી બહાર બે વર્ષથી પ્લોટ માટે આંદોલન કરનારા અરજદારોને કેમાં પ્લોટ આપવામાં આવતા નથી ?

આટલું જ નહીં મકનસર ગામના લોકોએ સાત મહિનાથી પ્લોટ માટે અરજી કરી છે તો તેનો નિકાલ કેમ કરતાં નથી ? ચાંચપર, કાલિકનગર, ટંકારાના નેસડા સુરજી સહિતના જમીન અને પ્લોટને લગતા પ્રશ્નો અધિકારી સામે મૂકીને તંત્ર વાહકોની કામગીરી સામે અણીદાર સવાલો કર્યા હતા અને જો આ લોકોને પ્રશ્નોનો એક પખવાડિયામાં ઉકેલ નહીં આવે તો જીગ્નેશ મેવાણી પાછા મોરબી આવશે અને અરજદારોની સાથે તે પણ આ ચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News