મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામના યુવાને વ્યાજખોરોને 10 લાખની સામે 80 લાખ ચુકવ્યા છતાં પાંચ લાખની પઠાણી ઉઘરાણી !


SHARE









માળીયા (મી)ના સરવડ ગામના યુવાને વ્યાજખોરોને 10 લાખની સામે 80 લાખ ચુકવ્યા છતાં પાંચ લાખની પઠાણી ઉઘરાણી !

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા યુવાને બે શખ્સ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે યુવાને આરોપીઓને 80 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને તેને વ્હોટસએપ કોલ કરીને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે હાલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરીયા જાતે પટેલ (23)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિરમભાઈ હમીરભાઈ કરોતરા રહે. શક્ત સનાળા, કિશનભાઇ ઉર્ફે દુષ્યંતભાઈ મહેશભાઈ અજાણા રહે. શક્ત શનાળા તથા પ્રવીણભાઈ રબારી રહે ખાનપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે વિરમભાઈ અને કિશનભાઇ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે ફરિયાદી યુવાને અત્યાર સુધીમાં બંને વ્યાજખોરને 80 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધેલ છે.

છતાં ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને ફરિયાદીના ફોનમાં વ્હોટસએપ કોલ કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. અને વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News