મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મહેશ્વરીબેન પી.અંતાણીએ ભારતીય શાસ્ત્રીય  નૃત્ય ભરતનાટ્યમમાં વિશારદની હેટ્રીક મારી


SHARE













મોરબીમાં મહેશ્વરીબેન પી.અંતાણીએ ભારતીય શાસ્ત્રીય  નૃત્ય ભરતનાટ્યમમાં વિશારદની હેટ્રીક મારી

સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો અને  શીખવા માટેની કોઈ જ ઉમર નથી હોતી, એ વાત  ૬૪ વર્ષના સિનિયર સીટીઝન કુ. મહેશ્વરીબેને સાબિત કરી બતાવી છે. મોરબી પોસ્ટ ઓફિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ સમયનો સદઉપયોગ કરવા તેમણે શાસ્ત્રીય નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી અને પ્રથમ તેઓ જયપુર ઘરાના માં કથક વિશારદ થયા હતા ડિસેમ્બર-૨૦૨૩ માં લખનઉ ' ઘરાના માં પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા શ્રી નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સ ક્લાસીસ- રાજકોટ ના કથક નૃત્ય કલાગુરૂ વંદનીય શ્રીમતી ડો. હર્ષાબેન ઠક્કરના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી, પ્રથમ વર્ગમાં કથક વિશારદ થયા. અને હવે એપ્રિલ- ૨૪ માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ- મુંબઈ દ્વારા  લેવાયેલ  ભરતનાટ્યમ વિશારદ પૂર્ણની પરીક્ષા  પ્રથમ વર્ગમાં પાસ કરી તેઓ ભરતનાટ્યમમાં પણ વિશારદ થયા છે. ભરતનાટ્યમ ની સઘન તાલીમ તેમણે 'તાંડવ નર્તન ' ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ, રાજકોટના ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત  ભરતનાટ્યમ નૃત્ય કલાગુરૂ જીજ્ઞેશભાઈ સુરાણી અને  કુ. ક્રિષ્નાબેન સુરાણી પાસેથી મેળવી હતી. આમ મહેશ્વરીબેને ભારતીય શાસ્ત્રીય  નૃત્ય શૈલીમાં ત્રણ વાર વિશારદની ડિગ્રી પ્રાપ્ત કરીને હેટ્રિક બનાવી છે.






Latest News