હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો
SHARE
હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો
હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે અને આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કરીને નીચેના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ હાલમાં રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં ડેમમાં 300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી પાણીની જાવક કરવા માટે એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવેલ છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલા ડેમની નીચેના ભાગમાં આવતા સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.