શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો


SHARE









હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો

હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે અને આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કરીને નીચેના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ હાલમાં રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં ડેમમાં 300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી પાણીની જાવક કરવા માટે એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવેલ છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલા ડેમની નીચેના ભાગમાં આવતા સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.






Latest News