મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં પગ લપસતા લોખંડના દરવાજામાં માથું અથડાવાથી ઇજા પામેલ કેદી રાજકોટ સારવારમાં


SHARE







મોરબીની સબ જેલમાં પગ લપસતા લોખંડના દરવાજામાં માથું અથડાવાથી ઇજા પામેલ કેદી રાજકોટ સારવારમાં

મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ કાચા કામનો કેદી બાથરૂમમાં લોખંડના દરવાજા સાથે અથડાયો હતો. જેથી કરીને તેને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામના કેદી દિનેશભાઈ કનૈયાલાલ અહેરવાલ (40) નામનો યુવાન ગઈકાલે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના બેરેક નં-3 ના બાથરૂમમાં જઈ રહ્યો હતો ત્યારે લપસીને ત્યાં લોખંડના દરવાજા સાથે અથડાતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી આ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. અને આ બનાવની વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ લૂંટના ગુનામાં દિનેશભાઈ કનૈયાલાલ અહેરવાલને પકડીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે. જોકે અકસ્માતના બનાવમાં તેને ઈજા થયેલ છે જેથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે ત્યારે પોલીસ જાપ્તામાં તેને રાખવામાં આવ્યો છે. અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા અનુભાઈ અરજણભાઈ ગારબી (40) મોરબીથી રાજકોટ હાઇવે રોડ ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વીરપર ગામ નજીક બા ની વાડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે






Latest News