મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં પગ લપસતા લોખંડના દરવાજામાં માથું અથડાવાથી ઇજા પામેલ કેદી રાજકોટ સારવારમાં


SHARE













મોરબીની સબ જેલમાં પગ લપસતા લોખંડના દરવાજામાં માથું અથડાવાથી ઇજા પામેલ કેદી રાજકોટ સારવારમાં

મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ કાચા કામનો કેદી બાથરૂમમાં લોખંડના દરવાજા સાથે અથડાયો હતો. જેથી કરીને તેને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામના કેદી દિનેશભાઈ કનૈયાલાલ અહેરવાલ (40) નામનો યુવાન ગઈકાલે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના બેરેક નં-3 ના બાથરૂમમાં જઈ રહ્યો હતો ત્યારે લપસીને ત્યાં લોખંડના દરવાજા સાથે અથડાતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી આ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. અને આ બનાવની વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ લૂંટના ગુનામાં દિનેશભાઈ કનૈયાલાલ અહેરવાલને પકડીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે. જોકે અકસ્માતના બનાવમાં તેને ઈજા થયેલ છે જેથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે ત્યારે પોલીસ જાપ્તામાં તેને રાખવામાં આવ્યો છે. અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા અનુભાઈ અરજણભાઈ ગારબી (40) મોરબીથી રાજકોટ હાઇવે રોડ ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વીરપર ગામ નજીક બા ની વાડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે






Latest News