મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક, જન કલ્યાણકારી યોજનાઓના અસરકાર અમલીકરણ અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તાકીદ મોરબીમાં થાર ગાડીના ચાલકે સ્કૂટર-કારને હડફેટે લેતા અકસ્માત: બનાવ સીસીટીવીમાં કેદ મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા ઝીકયો: સીસીટીવી વિડીયો થયો વાયરલ વાંકાનેરના જોધપર ગામે દીકરાને હેરાન કરતાં છોકરાઓના પિતાને વાત કરવા ગયેલા યુવાન અને તેના પરિવારજનોને મારમાર્યો મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા બે મકાન માલિક સામે કાર્યવાહી મોરબીમાં યુવાને ઘર પાસે પાર્ક કરેલ બાઇક-સ્કૂટરને તેના જ બે મિત્રો સહિત 3 શખ્સોએ સળગાવી દીધા !: કારણ અકબંધ માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાં જુગારની રેડ પકડતા નાસભાગ: 3 પકડાયા-7 ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં દોઢ માસ પૂર્વે જ લગ્ન થયેલ નવોઢાએ જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીમાં દોઢ માસ પૂર્વે જ લગ્ન થયેલ નવોઢાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરપ્રાંતિય દંપતી પૈકી મહિલા વહેલી સવારે કામકાજ ઉપરથી નાઈટશિફ્ટ પૂરી કરીને પોતાના લેબર કવાટરમાં ગઈ હતી અને બાદમાં તેનો પતિ તેના ક્વાટરમાં આવતા દરવાજો ખુલ્યો ન હતો.જોકે બાદમાં દરવાજો ખોલીને જોવામાં આવતા પરણીતાએ લેબર કવાટરમાં આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું હતું.જેથી કરીને હાલ ડેડબોડીને ફોરેન્સીક પીએમ માટે ખસેડીને બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની વિદેશભાઇ કન્યાભાઈ ભીલ અને તેમના પત્ની શંકરબેન વિદેશભાઈ ભીલ (ઉમર 21) બંને મોરબીના લાલપર ગામ પાસે આવેલ ઓરેન્ટો સિરામિકના લેબર ક્વાર્ટરમાં કહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં ગતરાત્રિના નાઈટશીપ પૂરી કરીને શંકરબેન વિદેશભાઇ ભીલ (શંકરબેન ડો./ઓ. હેમરાજભાઇ) વહેલી સવારે છ વાગ્યે તેમના લેબર કવાર્ટરમાં આવ્યા હતા અને બાદમાં થોડા સમય બાદ તેમના પતિ વિદેશભાઈ ભીલ કામકાજ ઉપરથી પોતાના લેબર કવાર્ટર ખાતે ગયા હતા.જોકે તેમની ઓરડીનો દરવાજો અંદરથી બંધ હોય ખખડાવવા છતાં ખુલ્યો ન હતો.બાદમાં દરવાજો ખોલીને જોવામાં આવતા તેમના પત્ની શંકરબેને તેમના ક્વાટરમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.જેથી કરીને પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ પહોંચી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો. વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક શંકરબેનનો લગ્નગાળો દોઢ માસ જ હતો અને તેઓ એમપી ખાતેથી મજૂરીકામ માટે મોરબી આવ્યા હતા અને અહીંના લાલપર ગામની સીમમાં આવેલ ઓરેન્ટો સીરામીકના લેબર કવોટરમાં રહીને મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં તેણીએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેનું મોત નિપજયુ હતુ.હાલ બનાવ કયા કારણસર બન્યો છે..? તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા તેમજ જે.પી.પટેલ ચલાવી રહ્યા છે.

રફાળેશ્વર ગામે મારામારીમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે મેલડી માતાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં અરજણભાઈ જીવાભાઇ મારવાડી (32), જમનાબેન જીવાભાઇ મારવાડી (45) અને ઈશ્વરભાઈ જીવાભાઇ મારવાડી (30) રહે.ત્રણેય રફાળેશ્વર વાળાઓને ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ બનાવની નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે રહેતા દેવજીભાઈ મગનભાઈ ચાવડા નામના 32 વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનવામાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોને જણાવ્યા પ્રમાણે તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે ઊંચી માંડલ ગામ પાસે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.








Latest News