મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મકનસર ગામે યુવાનને ટ્રેક્ટરમાંથી નીચે ફેંકી ઉપરથી ટ્રેક્ટર ફેરવી દઈને યુવાનની હત્યા : ત્રણ સામે ફરિયાદ


SHARE







મોરબીમાં મકનસર ગામે યુવાનને ટ્રેક્ટરમાંથી નીચે ફેંકી ઉપરથી ટ્રેક્ટર ફેરવીને યુવાનની હત્યા: ત્રણ સામે ફરિયાદ

મોરબીના મકનસર ગામનો યુવાન ટ્રેક્ટરમાં બેઠો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેને નીચે ફેંકી દીધો હતો. અને ત્યાર બાદ તે યુવાન ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતુ જેથી યુવાનને ગંભીર ઈજા થવાથી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું ત્યાર બાદ પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે હાલમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને પોલીસે ત્રણેય શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા (72)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રેક્ટર વાળા ગોરધનભાઈ મગવાણીયા રહે. પ્રેમજીનગર અને બે અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ કરેલ છેજેમાં જણાવ્યુ છે કે, ગત તા. 16 જુલાઈના રોજ ઘરે હતા અને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે તેઓનો પૌત્ર ધાર્મિક દરવાજા પાસે હતો ત્યારે તેને બાળકોએ કહ્યું હતું કે, તારા પ્રકાશ કાકા પાણીના ટાંકા પાસે પડ્યા છે. અને લોહી નીકળે છે. જેથી પરિવારના લોકો ત્યાર ગયા હતા અને ફરિયાદીના દીકરા પ્રકાશ મકવાણા (34)ને લોહી નીકળતું હતુ જેથી તેને બેભાન હાલતમાં 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલે લઇને આવ્યા હતા ત્યાર ટૂંકી  સારવારમાં તેનું મોત નીપજયું હતું.

વધુમાં ફરિયાદી જણાવ્યુ હતું કે. સ્થળ ઉપર લોકો કહેતા હતા કે તેનો દીકરો પ્રકાશ અને બે અજાણ્યા માણસો ગોરધનભાઈના ટ્રેક્ટર ઉપર બેઠા હતા ત્યારે ગોરધનભાઈ સાથેના માણસોએ પ્રકાશને ટ્રેક્ટર પરથી ફેંકી દીધો હતો અને ગોરધનભાઈએ પ્રકાશ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું જેથી તેને ગંભીર ઇજા થતાં તેની મોત નીપજયું છે. જેથી પોલીસે મૃતકના પિતાની ફરિયાદ આધારે હાલમાં ટ્રેક્ટર વાળા ગોરધનભાઈ અને તેની સાથે રહેલા બીજા બે શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


રિક્ષા પલટી
ટંકારાના સાવડી ગામ પાસે સીએનજી રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી તેમાં બેઠેલા પાંચ લોકોને ઈજા થતાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં મળી રહેલ માહિતી મુજબ મોરબીનો મુસ્લિમ પરિવાર મોરબીથી ધ્રોલ તાજીયા જોવા જતો હતો ત્યારે ટંકારના સાવડી ગામ નજીક  રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી આ અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં પાંચ લોકોને ઇજા થયેલ છે અને આ ઇજાગ્રસ્તોને ટંકારા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરી છે.   #morbitoday 






Latest News