મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂરથી વધુ ગેસના બાટલા રાખીને વેચાણ કરતાં ત્રણ વેપારીઓની દુકાન સીલ


SHARE







મોરબીમાં મંજૂરથી વધુ ગેસના બાટલા રાખીને વેચાણ કરતાં ત્રણ વેપારીઓની દુકાન સીલ

મોરબીમાં પુરવઠા વિભાગ દ્વારા પરબજાર વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ કરતાં ત્રણ વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું ત્યારે ગેસના બટલાનું છુટક વેચાણ કરતાં વેપારીઓ પાસે મંજૂર હતી તેનાથી વધુ બાટલા રાખીને વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય વેપારીઓની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે મોરબીના પરાબજાર વિસ્તાર કે જ્યાં સતત ટ્રાફિક રહે છે તે વિસ્તારમાં ગેસના બાટલા વેંચતા વેપારીઓ દ્વારા દુકાનમાં મંજૂરી કરતાં વધુ બાટલા રાખવામા આવતા હતા જેની જાણ પુરવઠા વિભાગને થઈ હતી. જેથી કરીને પરા બજારમાં આવેલ રાજ ટ્રેડર્સબુરહાની ટ્રેડર્સ અને દેવચંદ વશરામ એન્ડ સન્સ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મંજૂરી કરતાં વધુ ગેસના બાટલા મળી આવ્યા હતા જેથી કરીને પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને ત્રણેય દુકાનને સીલ કરી દેવામાં આવી છે.

વધુમાં આ વિષે પુરવઠા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મંજૂરી કરતાં વધારે ગેસના બાટલા રાખીને ત્રણેય દુકાનોમાં વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળેલ હતી જેથી પાલિકાના ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ચેક કર્યું હતું ત્યારે છુટક વેચાણ માટે 100 કિલો ગ્રામનો જથ્થો રાખવાની મંજૂરી હોય છે. પરંતુ આ ત્રણેય વેપારીઓ પાસે વધુ જથ્થો હોવાનું સામે આવ્યું હતું અને આ વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં રાખવામા આવ્યા ન હતા. જેથી ત્રણેય દુકાનને સીલ કરવામાં આવેલ છે.






Latest News