મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી ગામે વાડીએ મહિલા-રવાપર નદી ગામે કારખાનામાં યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીના અણિયારી ગામે વાડીએ મહિલા-રવાપર નદી ગામે કારખાનામાં યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના અણીયારી ગામે વાડીએ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતો જ્યારે મોરબીના રવાપર નદી ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જે બંને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં ઠાકરશીભાઈની વાડીએ ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લીલાબેન બહાદુરભાઇ ભાભોર (23) નામની મહિલાએ તા. 18/7/24 ના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં વાડીએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના ડેડબોડીને તેના પતિ બહાદુરભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને બે વર્ષનો દીકરો છે જોકે, મૃતક મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ પીએસઆઇ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.

જ્યારે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામે આવેલ સીમ વોલીવુડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતા સંજયરાય આનંદરાય રાવ (20) નામના યુવાને ગઈકાલે સવારે 8:30 વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વિમલભાઈ મોતીભાઈ કાસુન્દ્રા રહે. આલાપ રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાને ક્યાં કરણોસર આપઘાત કર્યો છે. તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News